
દાહોદ લાઈવ ડેસ્ક….
અજય કલાલની દુકાનની અવેજ માં મૂકેલા તમામ બીલો ખોટા સાબિત થયાં,કામ થયા વગર જ બીલો મુકાયા,અને રાહુલ જોધા રાઠોડના ખાતામાં રકમ જમાં કરવા સહમતી આપી દેવાઈ
ઝાલોદ તા.04
ઝાલોદ નગર પાલિકા કાઉન્સિલર હિરેન પટેલની હત્યા અંગે નગરમાં વિવિધ તર્કો ચાલી રહ્યા છે. અને મુખ્ય માથાઓ સુધી પોલીસ એક મહિનાનો સમય વિતી જવા છતાં પહોંચી સકી નથી.ત્યારે, હિરેન પટેલની હત્યામાં સોપારી આપનાર અજય કલાલના નામે બારોબાર ટ્રાન્સફર થઈ ગયેલી દુકાનને લઈને વધુ એક ગેરરીતિ બહાર આવી છે.
પાલિકાએ આ દુકાનમાં સાટા પદ્ધતિના ઉપયોગ ગેરકાયદેસર ગણી અને આ અંગે હાલ નોટિસ પાઠવી અને નાણાં જમા કરવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે આ દુકાનની અવેજમાં મુકવામાં આવેલા બીલોના છબરડા પણ સામે આવ્યા છે. જેમાં, દુકાનની અવેજમાં મુકવામાં આવેલા બીલો જે પણ કામ ના છે. તેમાં એક પણ કામ થયેલ ના હોવાનું હાલ પાલિકાના ધ્યાને આવ્યું છે. આ કામોમાં બોર, હેન્ડ પંપ, એલ ઈ ડી લાઈટ, કેમિકલ તથા બાંધકામ મટીરીયલ ના બીલો નો સમાવેશ થાય છે.
પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી અને કામો થયાં વિના જ બીલો રજૂ કરી પાલિકા સાથે છેતરપિંડી કરનારાઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.તેમ હાલ તો લાગી રહ્યું છે. ત્યારે બંધબારણે આ દુકાનનો કબજો પરત આપવાની ઓફર પણ પાલિકા ને મળી છે. તેમ છતાં પાલિકા આ અંગે હાલ તો કંઈ પણ કાચું કાપવાના મૂડમાં લાગી રહી નથી.
કોના કેટલા બિલનું ચુકવણું થયું તેની યાદી
-
ઇરફાન બોરવેલ,ઝાલોદ ૧૪,૮૦,૩૦૦/-
-
ક્રિષ્ના કેમિકલ્સ અમદાવાદ૩,૧૧,૯૫૦/-
-
નુરાની સ્ટીલ ફર્નિચર વર્કસ, ઝાલોદ ૨,૫૬,૯૬૭/-
-
વૈદેહી કંસ્ટ્રકસન, ઝાલોદ૩,૨૪,૫૦૦/-
-
મુસ્કાન ટ્રાન્સપોર્ટ એન્ડ સપ્લાયર્સ, દેવગઢ બારિયા ૧૨,૦૬,૭૪૦/- કુલ ૩૫,૮૦,૪૫૭/-