Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો:આજે વધુ 7 નવા દર્દીઓ મળી કોરોનાનો કુલ આંક 1438 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો:આજે વધુ 7 નવા દર્દીઓ મળી કોરોનાનો કુલ આંક 1438 પર પહોંચ્યો

   જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૬

દાહોદમાં કોરોના સંક્રમણનો આંકડો ઉતાર ચઢાવ વચ્ચે દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ હાલ યથાવત્‌ છે. આજે કોરોનાના કુલ ૭ કેસો નોંધાવા પામ્યા છે.

આજે રેપીટ ટેસ્ટના ૧૧૪૨ ટેસ્ટમાં ૪ અને આરટીપીસીઆના ૨૬૨ ટેસ્ટમાંથી ૩ એમ કુલ મળી આજે કોરોના પોઝીટીવના ૭ દર્દીઓ સામે આવ્યા છે જેમાં (૧) પટેલ મગનભાઈ વાલાભાઈ (ઉ.૬પ રહે. નાનસલાઈ પટેલ ફળીયુ ઝાલોદ), (ર) ડાંગી શાંતાબેન તીલકભાઈ (ઉ.૩પ રહે. નિમેરોડ ભગત ફળીયા ઝાલોદ), (૩) ડામોર જિતેન્દ્રકુમાર ભારતભાઈ (ઉ.ર૭ રહે. શંકરપુરા નિચલુ ફળીયુ ઝાલોદ), (૪) કડીયા ઉમેશભાઈ કલસિંગભાઈ (ઉ.૪ર રહે. નવકાર નગર દાહોદ), (પ) કુવાડીયા સુરેશભાઈ રમેશ (ઉ.૩૦ રહે. પીએચસી ભથવાડા દે.બારીયા), (૬) પસાયા પ્રદીપકુમાર ભારતભાઈ (ઉ.ર૩ રહે. આંબલી ફળીયા, અભલોડ, ગરબાડા), (૭) પસાયા વિક્રમભાઈ મધુભાઈ (ઉ.ર૩ રહે. આંબલી ફળીયા, અભલોડ, ગરબાડા). આ ૭ પૈકી દાહોદમાં ૧, ઝાલોદમાં ૩, દેવગઢ બારીઆમાં ૧ અને ગરબાડામાં ૨ કેસોનો સમાવેશ થયો છે. આ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૩૮ ને પાર થયો છે જેમાંથી આજે ૧૬ લોકોએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હવે એક્ટીવ કેસની સંખ્યા ૧૮૭ રહેવા પામી છે અત્યાર સુધી કોરોનાથી જિલ્લામાં ૬૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

error: Content is protected !!