જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.06
દાહોદ જિલ્લામાં આજરોજ જિલ્લા વિકાસ અધિકારી સહીત 5 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 136 જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજરોજ આવતા 136 સેમ્પલો પૈકી 131 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે જિલ્લા વિકાસ અધિકારી સહીત 5 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.જોકે ટૂંક સમય પહેલા જ શોશ્યલ મીડિયામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોરોના સંક્રમિત થયા હોવાની વાતોથી વહીવટી તંત્રમાં ઉતેજના ફેલાઈ જવા પામી હતી જોકે સાંજ પડતા પડતા તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લા પંચાયતની શાખાઓમાં ભયની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.જ્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત કચેરી સહીત ડીડીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળમાં જોતરાઈ ગઈ હતી.
અનલોક 2 માં મળેલી છૂટછાટોમાં લોકલ સંક્રમણ વધવાના કારણે કોરોના પોઝીટીવ કેસોનો ગ્રાફ દિન પ્રતિદિન વધવા પામ્યો છે.અનલોક 2 ના પ્રથમ દિવસથી જ દાહોદ જિલ્લામાં દરરોજ કોરોના પોઝીટીવના કેસો સામે આવી રહ્યા છે.જેના લીધે આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ મહામારીથી સરકારી કચેરીમાં પણ પગપેસારો કર્યો છે.ગઈકાલે જિલ્લામાં સાગમટે 8 કેસો નોંધાયા બાદ બીજા દિવસે પણ સાગમટે વધુ 5 કેસો નોંધાવા પામતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
વધુ જાણવા મળ્યા મુજબ
છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 136 જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજરોજ આવતા 136 સેમ્પલો પૈકી 131 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે (1) જિલ્લા વિકાસ અધિકારી રુચિત રાજ, ઉ.વર્ષ 35 (2)51 વર્ષીય ફરજાનાબેન ગફારભાઈ કુંજડાં રહે.ઘાંચીવાડ (3)60 વર્ષીય ઇન્દુબેન નગીનભાઈ પરમાર,રહે.મોટા ઘાંચીવાડ દાહોદ,(4)51 વર્ષીય મોહમ્મદ રફીક અબ્દુલ સલામ ભૂંગડા રહે.મોટા ઘાંચીવાડ (5)36 વર્ષીય સમીરભાઈ જસવંતભાઈ દેવડા રહે. ડબગરવાડ સહીત 5 લોકો કોરોના પોઝીટીવ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જ્યારે ઘાંચીવાડની રહેવાસી 51 વર્ષીય ફરજનાબેનનું મોત નિપજવા પામતા જિલ્લામાં અત્યાર સુધી મરણજનાર 4 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે.જ્યારે મરણજનાર દર્દીઓ કોરોનાથી મરણ પામ્યાની બાબત ઓડિટ બાદ જ બહાર આવે તેમ છે.
છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 136 જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજરોજ આવતા 136 સેમ્પલો પૈકી 131 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે (1) જિલ્લા વિકાસ અધિકારી રુચિત રાજ, ઉ.વર્ષ 35 (2)51 વર્ષીય ફરજાનાબેન ગફારભાઈ કુંજડાં રહે.ઘાંચીવાડ (3)60 વર્ષીય ઇન્દુબેન નગીનભાઈ પરમાર,રહે.મોટા ઘાંચીવાડ દાહોદ,(4)51 વર્ષીય મોહમ્મદ રફીક અબ્દુલ સલામ ભૂંગડા રહે.મોટા ઘાંચીવાડ (5)36 વર્ષીય સમીરભાઈ જસવંતભાઈ દેવડા રહે. ડબગરવાડ સહીત 5 લોકો કોરોના પોઝીટીવ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જ્યારે ઘાંચીવાડની રહેવાસી 51 વર્ષીય ફરજનાબેનનું મોત નિપજવા પામતા જિલ્લામાં અત્યાર સુધી મરણજનાર 4 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે.જ્યારે મરણજનાર દર્દીઓ કોરોનાથી મરણ પામ્યાની બાબત ઓડિટ બાદ જ બહાર આવે તેમ છે.
