Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના ટીકર ગામે ૩૫ વર્ષીય અસ્થિર મગજના વ્યક્તિએ ઝાડ પર ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું..

July 18, 2022
        1255
દેવગઢ બારિયા તાલુકાના ટીકર ગામે ૩૫ વર્ષીય અસ્થિર મગજના વ્યક્તિએ ઝાડ પર ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું..

સૌરભ ગેલોત, દાહોદ

 

દેવગઢ બારિયા તાલુકાના ટીકર ગામે ૩૫ વર્ષીય અસ્થિર મગજના વ્યક્તિએ ઝાડ પર ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું..

 

દાહોદ તા.૧૮

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ટીકડી ગામે એક ૩૫ વર્ષીય અસ્થિર મગજના યુવક અગમ્યકારણોસર ગામમાં આવેલ એક ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

 

ગત તા. ૧૬મી જુલાઈના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ટીકડી ગામે જાલીયા ફળિયામાં રહેતા ૩૫ વર્ષીય નવલસિંહ જનાભાઈ નાયક જેઓ અસ્થિર મગજના હોઈ અને અગમ્યકારણોસર પોતાના ગામમાં એક લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આ બનાવની જાણ પરિવારજનો સહિત ગ્રામજનોને થતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. બનાવની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક નવલસિંહભાઈના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપ્યાં હતાં.

 

આ સંબંધે ટીકડી ગામે જાલીયા ફળિયામાં રહેતાં જનાભાઈ સુરસીંગભાઈ નાયકે દેવગઢ બારીઆ પોલીસ મથકે જાણવા જાેગ આપતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!