Friday, 30/05/2025
Dark Mode

પીએમ મોદીએ દાહોદ થી વર્ચ્યુલી લીલીઝંડી બતાવતા ટ્રેનનું વલસાડ થી શુભારંભ.. આખરે માંગ પૂરી થઈ:દાહોદમાં વલસાડ દાહોદ ઇન્ટરસિટી નું ભવ્ય સ્વાગત.. 

May 27, 2025
        1296
પીએમ મોદીએ દાહોદ થી વર્ચ્યુલી લીલીઝંડી બતાવતા ટ્રેનનું વલસાડ થી શુભારંભ..  આખરે માંગ પૂરી થઈ:દાહોદમાં વલસાડ દાહોદ ઇન્ટરસિટી નું ભવ્ય સ્વાગત.. 

રાજેશ વસાવે :- દાહોદ 

પીએમ મોદીએ દાહોદ થી વર્ચ્યુલી લીલીઝંડી બતાવતા ટ્રેનનું વલસાડ થી શુભારંભ..

આખરે માંગ પૂરી થઈ:દાહોદમાં વલસાડ દાહોદ ઇન્ટરસિટી નું ભવ્ય સ્વાગત.. 

નવા નંબર અને નવા રેક સાથે ટ્રેનનું સંચાલન, જૂની ટ્રેન વલસાડ વડોદરા સુધી ચાલશે..

દાહોદ તા.27

પીએમ મોદીએ દાહોદ થી વર્ચ્યુલી લીલીઝંડી બતાવતા ટ્રેનનું વલસાડ થી શુભારંભ.. આખરે માંગ પૂરી થઈ:દાહોદમાં વલસાડ દાહોદ ઇન્ટરસિટી નું ભવ્ય સ્વાગત.. 

દાહોદમાં 24000 કરોડના વિવિધ પ્રકરણોના લોકાર્પણ માટે પીએમ મોદી દાહોદ પ્રવાસે આવ્યા હતા. દરમિયાન વડાપ્રધાને અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેનની સાથે દાહોદ થી વરચુલી લીલીઝંડી બતાવતા આ ટ્રેનને વલસાડ થી દાહોદ માટે રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન દાહોદમાં એક કલાક મોડી પહોંચી હતી. આજે આ ટ્રેનનો પ્રારંભ કરતા બપોરે 1 વાગે વલસાડથી રવાના કરાઈ હતી. અને સાંજે સાડા પાંચ ની જગ્યાએ 6:30 વાગે દાહોદ આવી હતી. પરંતુ આવતીકાલથી આ ટ્રેન તેના નિયત કરેલા સમય મુજબ સંચાલન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખની છે.

પીએમ મોદીએ દાહોદ થી વર્ચ્યુલી લીલીઝંડી બતાવતા ટ્રેનનું વલસાડ થી શુભારંભ.. આખરે માંગ પૂરી થઈ:દાહોદમાં વલસાડ દાહોદ ઇન્ટરસિટી નું ભવ્ય સ્વાગત.. 

કે આ ટ્રેન કોરોના કાળ પહેલા 12929/30 વલસાડ દાહોદ વચ્ચે સંચાલન કરવામાં આવી રહ્યો હતો. અને રોજિંદથી એક લાખ રૂપિયાની આવક રેલવેને આ ટ્રેનથી થઈ રહી હતી. પરંતુ કોરોના કાળમાં આ ટ્રેન બંધ પડી હતી. અને ત્યારબાદ આ ટ્રેન ફરીથી શરૂ થઈ ત્યારથી આજદિન સુધી આ ટ્રેન રાજકારણને લીધે વલસાડ થી વડોદરા સુધી સંચાલન કરવામાં આવી રહી છે. દાહોદ વાસીઓની છેલ્લા ઘણા સમયથી માંગ હતી.

પીએમ મોદીએ દાહોદ થી વર્ચ્યુલી લીલીઝંડી બતાવતા ટ્રેનનું વલસાડ થી શુભારંભ.. આખરે માંગ પૂરી થઈ:દાહોદમાં વલસાડ દાહોદ ઇન્ટરસિટી નું ભવ્ય સ્વાગત.. આ મામલે સમયાંતરે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ, પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તેમજ રેલવે બોર્ડ સહિત તમામ જગ્યાએ આ ટ્રેન પુનઃ શરૂ કરવા માટે તે માટે માંગ કરાઈ હતી સાંસદ પણ આમાં પ્રયાસરત હતા. દરમિયાન થોડા દિવસ અગાઉ રેલ મંત્રી રેલકારખાનાની મુલાકાતે આવ્યા હતા. તે સમયે આ ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ આ ટ્રેન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહી જોકે થોડા સમય પહેલા વલસાડ દાહોદ ઇન્ટરસિટી ના ટ્રેન શેડ્યુલ માટે પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડને લખેલો પત્ર વાયરલ થઈ ગયો હતો. ત્યારથી જ ટ્રેન શરૂ થવા અંગે અને ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારબાદ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા રેક (નવી નક્કોર) અને નવા નંબર સાથે વલસાડ દાહોદ ટ્રેનનું શુભારંભ કરવામાં આવ્યું છે. હવે આ ટ્રેન 09011/12વલસાડ દાહોદ ઇન્ટરસિટીના નામે ઓળખાશે.જેમાં એક એસી કોચ, બે ચેર કાર તેમજ બાકીના જનરલ કોચ લગાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!