
પીપલોદ થી છાપરવડ સુધીનો સ્ટેટ હાઇવે ખખડધજ હાલતમાં: ચોમાસામાં પરિસ્થિતિ વધુ માણસવાના એંધાણ..
દેવગઢબારિયા તાલુકાના પીપલોદથી છાપરવડ નહેર સુધીનો સ્ટેટ હાઇવેનો રસ્તો ચોમાસુ આવતા પહેલા બનશે ખરો તેવી લોકોમાં ચર્ચાનો વિષય કે ખાડા પડેલા રસ્તા પરથી જ નીકળવા મજબુર થવું પડશે. તેવા પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે.
દાહોદ તા. ૧૮
પીપલોદ થી છાપરવડ નહેર સુધીનો સ્ટેટ હાઇવે ના ડામર રસ્તા માટે વારંવાર રજૂઆત કરવા છતાં સ્ટેટ હાઇવે ના રસ્તાને બનાવવા માટે સરકારી તંત્ર ના અધિકારીઓને રસ નથી તેમ લાગી રહ્યું છે જ્યારે આ સ્ટેટ હાઇવે ના ડામર રસ્તા ઉપર મસ મોટા ખાડા પડી ગયેલા હોય અને આ સ્ટેટ હાઇવે ના ડામર રસ્તાને ચોમાસા પહેલા બનાવી દેવામાં આવે તો આ સ્ટેટ હાઇવે રસ્તા પરથી નીકળતા વાહનચાલકો ને મસ મોટા ખાડાઓનો ભોગ નહીં બનવું પડે અને તે સારા રસ્તા પરથી નીકળી શકે તેમ છે પરંતુ આ સ્ટેટ હાઇવે ના ડામર રસ્તા ને રીકાર્પેટિંગ માં મંજુર કરાવવા માટે ની ફાઈલ મૂક્યાને બે થી ત્રણ મહિના ઉપર થવા આવ્યા છતાં સ્ટેટ હાઇવે ના રસ્તા માટે રાજ્ય લેવલ ના સરકારી તંત્રના અધિકારીઓને આ સ્ટેટ હાઇવેના ડામર રસ્તો બનાવવામાં રસ નથી તેમ લાગી રહ્યું છે જ્યારે પીપલોદ થી છાપરવડ નહેર સુધીનું સ્ટેટ હાઇવે નો ડામર હતો બિલકુલ ખરાબ હાલતમાં હોય અને તેના પરથી નીકળતા વાહન ચાલકો ના વાહનોની હાલત પણ ખખડધજ જેવી થઈ જતી હોય પરંતુ આ સ્ટેટ હાઇવે ના ડામર રસ્તા ને નવો બનાવવામાં સ્થાનિક નેતાઓને પણ રસ નથી તેમ લાગી રહ્યું છે જ્યારે સ્ટેટ હાઇવે ના ડામર રસ્તાઓ પરથી ઘણા રાજકીય નેતાઓ મંત્રીઓ સાંસદ ધારાસભ્યો વગેરે નીકળતા હોય છે પરંતુ તેમને પણ આ સ્ટેટ હાઇવે ના ડામર રસ્તા પર પડેલા ખાડા ના સામ્રાજ્યને દેખાતું નથી તેમ લાગી રહ્યું છે કે પછી તે પણ આ ખાડા પડેલા રસ્તા પરથી નીકળવા માટે ખુશ છે તેમ લાગી રહ્યું છે સુ સ્ટેટ હાઇવ નો ડામર રસ્તો ચોમાસા શરૂ થાય તેના પહેલા બની જશે ખરો તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે શું આ સ્ટેટ હાઇવે ના રસ્તા માટે સરકારી તંત્રનું પેટનું પાણી હશે ખરું.