
છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે બાઇક રેલી તેમજ શોભાયાત્રા યોજાઇ ..
દાહોદ તા . 19
દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારની મરાઠી સેકન્ડ્રિ સ્કૂલ ખાતેથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જ્યંતી નિમિતે ભવ્ય બાઈક રેલી યોજાઇ હતી..
દાહોદ શહેરમા રહેતા મરાઠા સમાજ દ્વારા દાહોદના ફ્રી લેન્ડગંજ વિસ્તારની મરાઠી સેકન્દ્રી સ્કૂલ ખાતેથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જ્યંતી નિમિતે નિમિતે બાઈક રેલી તથા શોભાયાત્રાની આયોજન કરવામા આવ્યુ.જે બાઇક રેલી દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારની મરાઠી સેન્ક્ડરી સ્કૂલ ખાતે નીકળી દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમા ફરી હતી.ત્યારબાદ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે પહોંચી બાઈક રેલીનું સમાપન કરવામા આવ્યું હતું જે બાઈક રેલીમા દાહોદ શહેરમા રહેતા મરાઠા સમાજના લોકો મોટી સંક્યામા ઉપસ્થિત રહ્યાં હતા.