રાહુલ ગારી :- ગરબાડા
પાટીયાઝોલ ખાતે સર્જાયેલા રીક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ ગરબાડા પોલીસ એક્શનમાં..
આઝાદ ચોક તેમજ સ્ટેશન પરથી ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડતા છકડા ચાલકો સામે કાર્યવાહી …
તારીખ : ૧૨ ઓક્ટોમ્બર
ગરબાડા નાં પાટીયાઝોલ તળાવ ખાતે મંગળવારે અમંગળકારી ઘટનામાં રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છ લોકોનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગમી છવાઈ ગઈ હતી ત્યારે આવી ઘટના બીજીવાર ન બને તે માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરબાડા પોલીસ મથકના
પી.એસ.આઇ જે.એલ.પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ગરબાડા ભાભરા ચોકડી તેમજ સ્ટેશન એરિયા ભરાંતા છકડામાં છકડાની ક્ષમતા કરતા વધુ મુસાફરો તેમજ પેસજરો બેસાડતા બે છકડા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા કાર્યવાહી કરતા ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડતા વાહન ચાલકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો હતો.