Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડાના ભીલવા ગામે તળાવમાં પાણીનો નિકાલ ન થતાં રહીશોમાં ભયનો માહોલ.

September 18, 2023
        507
ગરબાડાના ભીલવા ગામે તળાવમાં પાણીનો નિકાલ ન થતાં રહીશોમાં ભયનો માહોલ.

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના ભીલવા ગામે તળાવમાં પાણીનો નિકાલ ન થતાં રહીશોમાં ભયનો માહોલ.

ગરબાડા મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી ક્ષતિગ્રસ્ત તળાવની મુલાકાત લીધી.. 

ગરબાડા તા.18

ગરબાડાના ભીલવા ગામે તળાવમાં પાણીનો નિકાલ ન થતાં રહીશોમાં ભયનો માહોલ.

ગરબાડા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નદી નાળા તેમજ તળાવો ભરાઈ ગયા હતા ત્યારે ભીલવા ગામે આવેલ તળાવ પણ નવા નીરની આવક થતાં ભરાઈ જવા પામ્યું હતું પરંતુ તળાવના પાણીનો નિકાલ ન થતાં તળાવની નજીક માં રહેણાક મકાનોમાં રહેતા લોકો તળાવમાં પાણી ભરાઈ જતાં મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતા અને આ બાબતે ગામના સરપંચે તળાવ માંથી પાણીનો નિકાલ થાય અને લોકોને નુકશાન ના થાય તે હેતુથી ગરબાડા મામલતદારને આ બાબતે રજૂઆત કરાતા મામલતદાર સહિત ગરબાડા મામલતદારની ટીમ દ્વારા આ તળાવની મુલાકાત લઈ તળાવના પાણીના નિકાલ કરવા આશ્વાસન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!