Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામની ૧૯ વર્ષીય પરણીતાનો ગળેફાંસોં ખાઈ આપઘાત કરતા ખળભળાટ..

August 1, 2023
        989
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામની ૧૯ વર્ષીય પરણીતાનો ગળેફાંસોં ખાઈ આપઘાત કરતા ખળભળાટ..

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામની ૧૯ વર્ષીય પરણીતાનો ગળેફાંસોં ખાઈ આપઘાત કરતા ખળભળાટ..

સસરાના ત્રાસથી પરણિતાએ આપઘાત કર્યો હોવાના માતા-પિતાના આક્ષેપ.

ગરબાડા તા. 01

 

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારાના કુવા ફળિયામાં રહેતા અલ્કેશ ભાઈ ભૂરીયાની પત્નીએ ઘરમાં વળી સાથે દોરડું બાંધી આપઘાત કરી લેતા પરિવારમા શોકનું મોજું ફરી વળ્યુ હતું.

 પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર તાલુકાના કાટૂ ગામે રહેતા મોહનિયા અમરસિંગભાઈ પાંગળાભાઈની દીકરી શર્માબેને સ્પોર્ટ્મા સારું પ્રદર્શન કરી પરિવાર તેમજ ગામનું નામ રોશન કર્યું હતું. શર્માબેને ૧૨મું ધોરણ પાસ કરી આગળ અભ્યાસ કરવા કોલેજમા એડમીન લીધું હતું જે ભણી ગણી આગળ વધી અને પોતાના સપના સાકાર કરવા માંગતી હતી શર્માબેનના લગ્ન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડાના નઢેલાવ ગામના બારાના કુવા ફળિયામા રહેતા અલ્કેશ ભાઈ બારીયા સાથે કરાવવામાં આવ્યા હતા શર્મા બેનના સાસરિયા પક્ષના લોકો જયારે લગ્ન ની વાત કરવા કાટુ ગામે ગયા ત્યારે શર્માબેને લગ્ન કરવાની ના પાડી ને આગળ અભ્યાસ કરવા જણાવ્યું હતું ત્યારે શર્માબેનના સસરાએ શર્માબેનના પિતાને આશ્વાસન આપ્યું હતું કે છોકરી ભણવાં કહે છે તો અને તેને ભણાવીશુ એમ કહી ૦૩/૩૧/૨૦૨૩ ની તારીખે શર્માબેનના લગ્ન અલ્કેશભાઈ બારીયા સાથે કરાવવામાં આવ્યા હતા. ત્યાર પછી થોડા દિવસ સારૂ ચાલ્યું ત્યારે શર્માબેને એના સસરાને આગળ અભ્યાસ કરવા માટે કહેતા સસરા ધુળીયાભાઈ એ અભ્યાસ ન કરવાનું કહી ઘરમા કામ કરવાનું શર્માબેનને કહેતા શર્માબેનને લાગી આવતા શર્માબેને ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારાના ફળિયામા સ્થિત રહેણાકં મકાનના લાકડાની વળી સાથે દોરડું બાંધી આપઘાત કરી લેતા સસરા દ્વારા ભણવાની ના પાડતા પરણિતા એ આપઘાત કર્યો હોવાના માતા પિતા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!