રાજેશ વસાવે દાહોદ
આજરોજ તારીખ 16/07/2023 ને રવિવારના રોજ બપોરના 2:00 કલાકે *9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ* ના આયોજન બાબતે ત્રીજી બેઠક બિરસા મુંડા ભવન,ઉસરવાણ રોડ દાહોદ ખાતે રાખવામાં આવી.
દાહોદ તા.

આદિવાસી પરિવાર દાહોદ ના નેજા હેઠળ બેઠક નું આયોજન કરવામાં આવ્યું.બેઠકમાં ગત મિટિંગના એજન્ડા વિશેની ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવા માટેની ચર્ચા કરવામાં આવી . જેમાં દાહોદ જિલ્લાનો કાર્યક્રમ દાહોદ ખાતે રાખવો અને તે માટેની આયોજન સમિતિઓ ની ચર્ચા કરી રચના કરવામાં આવી.તેમજ વિવિધ ગામો,તાલુકાઓમાંથી આવતી ઝાખીઓ,રેલીનો રૂટ ,પ્રચાર-પ્રસાર,સ્વયંસેવકોની નિમણુંક વિશેની ચર્ચા કરવામાં આવી તેમજ 9ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે દાહોદ જિલ્લા ની વિવિધ કચેરીઓ, શાળાઓ, કોલેજો માં તેમજ ઇમર્જન્સી સેવા સિવાય ની તમામ સરકારી અને વહીવટી શાખાઓ માં જાહેર રજા રાખવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવી.
આ વખતના આયોજનની ખાસ વિશેષતા એ છે કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સાંસ્કૃતિક મહારેલી ની સાથે સાથે રેલીમાં આવનાર લોકો કૈંક ને કૈંક સામાજિક ભાથું લઈને જાય તે માટે બંને રૂટ પર સભાનું આયોજન પણ રાખવામાં આવ્યું સભાનો ઉદેશ્ય આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ વિશે જાણે, સમજે અને પોતાની સંસ્કૃતિ ની જાળવણી કરે તે માટેના મુદ્દા તૈયાર કરવામાં આવ્યા.
સંયોજક :- આદિવાસી પરિવાર દાહોદ જિલ્લો
