દાહોદ તાલુકાના ખરેડીમાં અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું મોત…
દાહોદ તાલુકાના ધામરડા રાહડુંગરી ફળિયામાં રહેતા શુક્રમભાઈ કાળુભાઈ બારીયા કે જેઓ તારીખ 9 4 2023 ના રોજ સાંજના સમયે તેમની એફ ઝેડ મોટરસાયકલ gj 20 BB 3510 નંબરની લઈને દેલસર ગામે તેમની ફોઈને ત્યાં મોટરસાયકલ મૂકી અમદાવાદ ખાતે મજૂરી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે ખરેડી નાળા ઉપર અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે ભરી રીતે બેદરકારીથી હંકારી લાવી મોટરસાયકલ ચાલક સુક્રરામભાઇ બારીયાને આગળના ભાગે ટક્કર મારતા તેઓ જમીન પર પટકાયા હતા તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજયુ હતું અને તેની ડેડબોડીને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી હતી ત્યારે તેમના ભાઈ લાલુભાઈ કાળુભાઈ બારીયાએ તારીખ 10-4-2023 ના રોજ રૂલર પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધાવતા રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી…