
*દાહોદ 132 વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર દરમિયાન ઠેર ઠેર જન આશીર્વાદ પ્રાપ્ત થયા.*.
દાહોદ 132 વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીના સમર્થનમાં સંગઠનના હોદ્દેદારો, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દાહોદ તાલુકાના જુદા જુદા ગામોમાં જન સંવાદ કાર્યક્રમ તેમજ, ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા હતા જ્યાં ઠેર ઠેર મહિલાઓ પુરુષો વૃદ્ધ દ્વારા કનૈયાલાલ કિશોરીને ઠેર-ઠેર આવકારવામાં આવ્યા હતા. કનૈયાલાલ કિશોરીને પ્રચાર દરમિયાન ઠેર ઠેર સમર્થન પ્રાપ્ત થતાં પ્રચારમાં નીકળેલા કનૈયાલાલ કિશોરી તેમજ હોદ્દેદારો તથા મહિલા મોરચા ભરપુર ઉત્સાહમાં જોવા મળ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલ નજીક આવી રહી છે. બીજા તબક્કાના પાંચમી ડિસેમ્બરના મતદાનને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ બેઠકો પર બીજેપી દ્વારા પ્રચાર કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. વધુમાં પરમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવી જનસભા સંબોધી હતી. આજરોજ ઝાલોદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પણ જનસભા અને સંબોધિ ભાજપના ઉમેદવારોને પ્રચંડ જીત અપાવવા માટે જનતા જનાર્દનને હાકલ કરી હતી.જેને લઈ મતદારો તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમાં ખાસ કરીને દાહોદ વિધાનસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓમાં એક પ્રકારનું જોમ મને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ના પગલે આજરોજ 132 વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી, સંગઠનના શિર્ષ હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો, તેમજ કાર્યકર્તાઓએ દાહોદ વિધાનસભામાં સમાવિષ્ટ
દાહોદ તાલુકાના તરવાડિયા વજા, ભભોરી, તરવાડીયા ભાવ, ગમલા, સહિતના ગામોમાં ડોર ટુ ડોર પ્રચાર તેમજ જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કનૈયાલાલ કિશોરીને પ્રચાર પ્રસાર દરમિયાન અભૂતપૂર્વ જન સમર્થન પ્રાપ્ત થતાં દાહોદ વિધાનસભા નું ચિત્ર અને સમીકરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા તેમજ કનૈયાલાલ કિશોરીની પ્રચાર કરવાની ઢબ તેમજ દાહોદ તાલુકા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સંગઠનના હોદ્દેદાર તેમજ એક કાર્યકર્તા ની જેમ લોકોના કામ કર્યા છે તેને જોઈ દાહોદ તાલુકાના ઉપરોક્ત ગામોમાં તેઓને ઠેર ઠેરઅભૂતપૂર્વ જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. જે આંખે ઉડીને વળગે એવું છે.