ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આંતરરાજ્ય ચેકપોસ્ટ નજીક પુરપાટ આવતી આઇસર રોડની સાઈડમાં ઉભેલી ટ્રક સાથે અથડાઈ:ચાલકનું મોત..

Editor Dahod Live
2 Min Read

ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આંતરરાજ્ય ચેકપોસ્ટ નજીક પુરપાટ આવતી આઇસર રોડની સાઈડમાં ઉભેલી ટ્રક સાથે અથડાઈ:ચાલકનું મોત..

વલસાડથી પીથમપુર જતી નવી નક્કોર આઇસર ગાડીને ખંગેલા નજીક નડ્યો અકસ્માત:ટ્રકનો જોઈન્ટ તૂટી જતા સમારકામ દરમિયાન રોડની સાઈડમાં ઉભેલી ટ્રકમાં આઇસર પાછળથી ટકરાઈ..

અકસ્માતમાં ધાર જિલ્લાના રહેવાસી ચાલકનું મોત:કતવારા પોલીસને જેસીબીની મદદ લઇ મૃતદેહ બહાર કાઢ્યો…

દાહોદ તા.09

દાહોદ તાલુકાના ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર પાછળથી પુર ઝડપે આવતી આઇસર ટ્રકે ઉભેલી ટ્રકને પાછળથી જોશભેર ટક્કર મારતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં આઇસર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

 

 ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર છાશવારે બનતા માર્ગ અકસ્માતોના કારણે આ હાઇવે હવે અકસ્માત હાઈવે તરીકે પ્રસ્થાપિત થઇ રહ્યો છે. વાહન ચાલકોની પૂર ઝડપ અને ગફલત ના કારણે નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતના બનાવવામાં છેલ્લા કેટલાય સમયથી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ પુનઃ આ હાઇવે પર એક માર્ગ અકસ્માત સર્જાતા એકનું મોત થયું હોવાનું પ્રાથમિક તબક્કે માહિતીઓ પ્રાપ્ત થયેલી છે. જેમાં

વલસાડ તાલુકાના ઉદવાડા ખાતેથી કનૈયાલાલ સુરેશભાઈ કુમાવત રહે. ગુણાવદ જીલો ધાર મધ્ય પ્રદેશ ખાતેનો ચાલક કંપનીમાંથી નવી નકકોર આઇસર ગાડી લઈને મધ્યપ્રદેશના પીથમપુર જવા નીકળ્યો હતો. જ્યાં રસ્તામાં દાહોદ નજીક ખંગેલા ગામે ગુજરાત મધ્યપ્રદેશ આંતરરાજ્ય ચેક પોસ્ટ પર MP-09-HH-3369 નંબરની ટ્રક જેનો એક્સેલ તૂટી જતા બગડેલી હાલતમાં રસ્તાની બાજુમાં ઉભેલી હતી. જેમાં પાછળથી પુરઝડપે આવી રહેલા ઉપરોક્ત કનૈયાલાલે ઉભેલી ટ્રકમાં જોશભેર ટક્કર મારતા નવી નકકોર આઇસર ટ્રકનો આગળનો ભાગનો ખુરદો બોલાઈ જતા આઇસર ટ્રકના ચાલક કનૈયાલાલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ ઉપરોક્ત ઘટનાની જાણ કતવારા પોલીસ ને થતા કતવારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જેસીબી ની મદદ વડે કનૈયાલાલ કુમાવતના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. હાલ કતવારા પોલીસે આ ઘટના સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી છે.

Share This Article