કોઇ મહાનુભાવો સાવ જ અચાનક તમારી ઘરે આવી ચઢે ને પૂછે કે કેમ છે ? તો તેમને જવાબ આપવાની સાથે તમને આનંદ અને આશ્ચર્ય થશે. આવું જ કંઇક બન્યું છે દાહોદ જિલ્લાના કેટલાક પરિવારો સાથે. દાહોદ જિલ્લામાંથી કુપોષણને નાબૂદ કરવા માટે ચાલતા અભિયાન અંતર્ગત કલેક્ટર શ્રી વિજય ખરાડી છાપરી અને બોરવાણી ગામમાં જઇ આંગણવાડીના કુપોષિત બાળકોના ઘરે અચાનક જ પહોંચી ગયા હતા. પછી જે બન્યું તે જાણીને તમને સહજ આનંદ થશે !
પહેલા આપણે જાણીએ સુપોષિત ગુજરાત અભિયાન વિશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી દાહોદ જિલ્લામાંથી આરંભવામાં આવેલા આ અભિયાન અંતર્ગત બાળકોમાંથી કુપોષણ દૂર કરી તેમને તંદુરસ્ત બનાવવાની નેમ આ અભિયાનની છે. દાહોદ જિલ્લામાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એ માટે આંગણવાડી કક્ષાએથી પોષણક્ષમ આહાર આપવાની કામગીરી ઉપરાંત બાલ સંજીવની કેન્દ્રો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં અતિકુપોષિત બાળકોને પખવાડિયા સુધી રાખી સારવાર કરવામાં આવે છે. મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં પોષણના સૂચકાંકો ઉપર નીતિ આયોગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. પોષક આહારનું વિતરણ કોઇ બાધ વિના લોકડાઉનમાં પણ શરૂ છે. હવે મૂળ વાત જાણીએ તો કલેક્ટરશ્રી વિજય ખરાડી કોઇને આગોતરી જાણ કર્યા વિના બોરવાણી અને છાપરી ગામની આંગણવાડી કેન્દ્રની મુલાકાતે પહોંચી ગયા હતા. આંગણવાડીમાં જઇ તેમણે સંચાલક દ્વારા નિભાવવામાં આવતા ૧૧ પ્રકારના રજીસ્ટરોની ચકાસણી કરી હતી. તેમના દ્વારા થતી કામગીરી અંગે પૃચ્છા કરી હતી. આટલું જ નહીં, શ્રી ખરાડીએ આંગણવાડીમાં રહેલા પુરવઠાની રજીસ્ટરો સાથે મેળવણી કરી ચકાસણી કરી હતી. તેમણે પોષણ વાટિકાની પણ મુલાકાત લીધી હતી.
આટલું જ નહીં, મમતા કાર્ડ મુજબના સગર્ભા માતાના ઘરની પણ કલેક્ટરશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમને પૂરતા પ્રમાણમાં માતૃશક્તિના પેકેટ્સ, આયર્નની ગોળીઓ મળે છે કેમ ? તેવી વિગતો જાણી હતી. સગર્ભા મહિલાઓને આરોગ્યની તપાસ માટે ખીલખીલાટ સહિતની સેવા અંગે પણ પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.
જેમાં પાણી ઉકાળીને પીવા, સ્વચ્છ હાથોથી ભોજન લેવા અને આરોગ્યની નજીકના સરકારી દવાખાને નિયમિત તપાસણી કરાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમના તબીબોને આવા બાળકોનું સમયાંતરે હેલ્થ સ્ક્રીનિંગ કરવા કલેક્ટરશ્રીએ કહ્યું હતું. આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવતા બાલશક્તિ આહારનું બાળકોને સેવન કરાવવા કલેક્ટરશ્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો.તેરા તુજકો અર્પણ લાખોનું માલ માલિકોને પરત આપતી દાહોદ પોલીસ l #DahodLive l Dahod News
Dahod Live views 13 hours ago
ગરબાડામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ,ફૂડ વિભાગની સરપ્રાઈઝ ચેકીંગ Garbada News l #Reels
Dahod Live views 14 hours ago
ઝાલોદની છાત્રાલયમાં યુવકનું અચાનક મોત થતા ખળભળાટ l jhalod News l #viralnews
Dahod Live views 19/12/2025 15:59
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં