જીગ્નેશ બારીયા @ દાહોદ
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરાના વાયરસના ભય વચ્ચે દાહોદ શહેર સહીત જિલ્લામાં અફવા બજારે જોર પકડ્યું, વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સંયમ રાખી સાવચેતીના પગલાં લેવા અપીલ કરાઈ
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લામાં હાલ કોરોના વાયરસનો એકેય કેસ નોંધાવા પામ્યો નથી.અને આ બાબતે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં પણ લઈ લોકોને માહિતગાર સહિત જાગૃતતાનો સંદેશો પણ પાઠવી રહી છે.ત્યારે બીજી તરફ છેલ્લા બે – ત્રણ દિવસથી અફવા બજારોએ ભારે જોર પકડ્યું છે. ફલાણી જગ્યાએથી કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા, ફલાણા દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે, વિગેરે જેવી અફવાઓથી દાહોદ સહિત જિલ્લામાં અફવાઓ વહેતી થતાં લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.
દાહોદ જિલ્લામાં હાલ કોરોના વાયરસનો એકેય કેસ નોંધાવા પામ્યો નથી.અને આ બાબતે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં પણ લઈ લોકોને માહિતગાર સહિત જાગૃતતાનો સંદેશો પણ પાઠવી રહી છે.ત્યારે બીજી તરફ છેલ્લા બે – ત્રણ દિવસથી અફવા બજારોએ ભારે જોર પકડ્યું છે. ફલાણી જગ્યાએથી કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા, ફલાણા દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે, વિગેરે જેવી અફવાઓથી દાહોદ સહિત જિલ્લામાં અફવાઓ વહેતી થતાં લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.
