જો તમે ટ્રેન મારફતે યાત્રા કરવાના છો.. તો આ ખબર તમારા કામની છે. રેલવે તંત્રે સુપરફાસ્ટ ટ્રેનના સમયમાં કર્યોં ફેરફાર….

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા તા.20

દાહોદ તા.20

પશ્ચિમ રેલવેના રતલામ મંડળથી પસાર થતી 02925 પશ્ચિમ એક્સપ્રેસના સમયમાં ફેરફાર થયાં હોવાનું રેલવેતંત્ર દ્વારા સત્તાવાર રીતે જાણવા મળે છે.જોકે આ ટ્રેનનો અગામી 22 તારીખથી મુંબઈના અંધેરી ખાતેનો સ્ટોપેજ રદ્દ કરવામાં આવ્યું છે.

રેલવે તંત્ર દ્વારા વધુ મળતી માહિતી પ્રમાણે બાંદ્રાથી અમૃતસર જતી ટ્રેન નંબર 02925 પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં આગામી 22 માર્ચથી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન આગામી 22 તારીખથી બાંદ્રા બપોરના 11.30 વાગ્યે ઉપડીને વડોદરા 17.30 વાગે તેમજ દાહોદ 19.50 વાગે આવશે. તેમજ 22.20 વાગે રતલામ ખાતે પહોંચશે. જોકે આ ટ્રેનના સમયમાં ફેરફારની સાથે અંધેરી ખાતે સ્ટોપેજ રદ્દ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

Share This Article