દે.બારીયાના માન સરોવર તળાવમાંથી એક 30 વર્ષીય પરણિત મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ મહિલાએ તળાવમાં પડતું મૂકી આત્મહત્યા કરી છે. કે પછી હત્યા કરી ફેંકી દેવામાં આવી છે. તે હાલ જાણી શકાયું નથી
વધુ મળતી માહિતી અનુસાર દે.બારીયા તાલુકાના સાતકુંડા ગામના રહેવાસી વિપુલભાઈ ગણપતભાઈ રાઠવાની 30 વર્ષીય પત્ની ભારતીબેનની લાશ ગત તારીખ 20.01.2021 ના રોજ બારીયાના માનસરોવર તળાવમાંથી મળી આવી હતી.જોકે આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મરણજનાર મહિલાએ તળાવમાં પડતું મૂકી આત્મહત્યા કરી શકે કોઈ કે મારીને ફેંકી દીધી છે.તેની પુષ્ઠિ હાલ થઇ શકી નથી. જોકે પોલિસે મરણજનાર મહિલાના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપી હતી.
આ બનાવ સંબંધે મરણ જનાર મહિલાના પિતા શનાભાઈ બારીયા રહે. મોટી ખજુરિનાઓએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સબંધે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે