દેવગઢ બારિયા રાજવી પરિવાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ તીર્થ ક્ષેત્ર માટે દાહોદ જિલ્લામાંથી પ્રથમ નીધિ સમર્પણ કરી શરૂવાત કરી.
આજરોજ મકરસંક્રાંતિ પર્વના શુભ દિવસે દેવગઢબારીયા રાજવી પરિવારના રાજમાતા ઉર્વશીદેવીજી (બાપુરાજ સાહેબ) તેમજ મહારાજા તુષારસિંહજી (બાબા સાહેબ)ના વરદ હસ્તે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નીધિમાં રૂ.૧,૦૦,૦૦૧/- (એક લાખ એક રૂપિયો) નો સહયોગ આપી. દાહોદ જિલ્લાનાના દેવગઢ બારીયા નગર જનોને આ સેવા કાર્યમાં સહભાગી બનવા પ્રોત્સાહિત કર્યા હતાં. જેમાં તાલુકા સંઘચાલક, જિલ્લા-તાલુકા અભિયાન પ્રમુખ તેમજ જિલ્લા-તાલુકા કાર્યવાહ તેમજ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.