દાહોદ જિલ્લા ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા નવા વર્ષની ઉજવણી કરાઈ,108 ના કર્મચારીઓએ આગામી વર્ષ દરમિયાન નિસ્વાર્થ ભાવે પીડિતોની સેવા કરવા સંકલ્પ લીધા

Editor Dahod Live
1 Min Read

 નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ જિલ્લા ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા નવા વર્ષની ઉજવણી કરાઈ,૧૦૮ના અધિકારીશ્રી પ્રોગ્રામ મેનેજર માનવીર ડાંગર, દાહોદ તેમજ ઝાલોદના EME ની પ્રેરક ઉપસ્થિતિમાં 108 ના કર્મચારીઓએ નવા વર્ષમાં ફરજનિષ્ઠા,પ્રમાણિકતા,નિ:સ્વાર્થ ભાવે પીડિતોની સેવા કરવાના સોનેરી સંકલ્પ લીધા

દાહોદ/ઝાલોદ તા.03

દાહોદ જિલ્લાના દાહોદ તેમજ ઝાલોદ ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવા,ખિલખિલાટ સેવા,૧૯૬૨ સેવા,૧૮૧ ના કર્મચારીઓ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૧૦૮ના અધિકારી શ્રી પ્રોગ્રામ મેનેજર માનવીર ડાંગર દ્વારા વર્ષ ૨૦૨૦ માં કોરોના મહામારીમાં 108 ના કર્મચારીઓએ કરેલ  કામગીરીની સરાહના કરવામાં આવી હતી. તથા નવું વર્ષ બધા માટે લાભદાયક,આરોગ્યમય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે તેવી શુભકામના પાઠવી હતી.સાથે સાથે નવા વર્ષમાં બધા કર્મચારીઓએ

ફરજનિષ્ઠા,પ્રમાણિકતા,નિ:સ્વાર્થ ભાવે પીડિતોની સેવા કરવાના સોનેરી સંકલ્પ લીધા હતા.આ પ્રસંગે ૧૦૮ સેવા ના EME મનોજ વિશ્વકર્મા ,EME જેમિલ શેખ હાજર રહ્યા હતાં..

Share This Article