દાહોદ શહેર સહિત જિલ્લામાં દિન પ્રતિદિન વધતાં કોરોનાના કેસોને લઈ દાહોદ તાલૂકા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ છે અને આરોગ્ય વિભાગ જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર, દાહોદ શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં, બજારો, સોસાયટીઓ વિગેરે સ્થળો પર જઈ માક્સનું વિતરણ તેમજ આયુવેર્દિક કાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ક્યાંકને ક્યાંક લોકો કોરોના જેવી મહામારીથી બચી શકે અને દિવસેને દિવસે વધતાં કોરોનાના સંક્રમણને અટકાવી શકાય. આજરોજ દાહોદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલિસન કરાયેલા કોરોન સક્રમિત દર્દીઓની મુલાકાત લીધી જેમાં જે હોમ આઇસોલિસન કરાયેલા કોરોના સક્રમિત દર્દીઓ છે તેમની થર્મલ ચેકિંગ કરવામાં આવી હતી. સાથે સાથે તેમની તબિયત વિશે પણ પૂછપરછ કરી હતી. કોરોના વિશે સાવચેત રહેવા તેમજ ઘરમાં પણ સોસીયલ ડિસ્ટન જાણવવાની અપીલ પણ કરી હતી. શહેરીવાસીઓએ આરોગ્ય કર્મીઓની આ કામગીરીને બિરદાવવા છે. કોરોના જેવી મહામારીમાં પણ પોતાની કામગીરી નિષ્ઠાપુર્વક અને ખડેપગે સતત કરી રહ્યા છે.