સુખસર:કોરોના મહામારીને પગલે પદયાત્રા રદ્દ થતા “અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ”દ્વારા આશીર્વાદ સ્વરૂપે ધજા મોકલાઈ:માઇભક્તોએ માતાજીના મંદિરે ભક્તિભાવ પૂર્વક ધ્વજારોહણ કર્યું

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ, શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા  સુખસરના અંબે માતા મંદિર માટે ધજા મોકલાઈ,કોરોના સંક્રમણ ના કારણે પદયાત્રા કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.

સુખસર તા.02

Contents

કોરોના મહામારી ને લઇ હાલમાં તમામ ધાર્મિક મેળાવડા જેવા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.ત્યારે અંબાજી પદયાત્રા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિર દ્વારા સુખસર ખાતે અંબા માતાના મંદિર માટે ધજા મોકલવામાં આવી હતી

  ફતેપુરા તાલુકાના સુખસરમાં જય અંબે પદયાત્રા સંઘ  દર વર્ષની જેમ પગપાળા સંઘ લઈને ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી જાય છે. પણ આ વખતે કોરોના મહામારીમાં લીધે સરકારની ગાઈડ લાઈન મુજબ અંબાજી પદયાત્રા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો જેમાં મા અંબાના આશીર્વાદ રૂપે શ્રી આરાસુરી અંબે માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા

પ્રસાદ રૂપે સુખસર સંઘને ધજા મોકલવામાં આવી હતી જય અંબે પદયાત્રા સંઘ સુખસર દ્વારા પોતાના જ ગામના અંબા માતા મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવી હતી.

Share This Article