Friday, 18/10/2024
Dark Mode

દે.બારીયા:પાનમનદીના તટ પર સગીરવયના પ્રેમી પંખીડાની લાશ શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકતી મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા? તે અંગે ઘૂંટાતું રહસ્ય:પોલીસ તપાસમાં જોતરાઇ

દે.બારીયા:પાનમનદીના તટ પર સગીરવયના પ્રેમી પંખીડાની લાશ શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકતી મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા? તે અંગે ઘૂંટાતું રહસ્ય:પોલીસ તપાસમાં જોતરાઇ

મઝહર અલી મકરાણી @ દે.બારીયા

 દેવગઢ બારિયા તાલુકાના પાનમ નદીના તટ પર સગીર વયના પ્રેમી પંખીડાની લાશ ખાખરાના ઝાડ પર લટકતી જોવા મળતા ચકચાર, એક જ ફળિયાના બંને પ્રેમીજોડાના મૃત્યુ અંગે ઘૂંટાતું રહસ્ય, સગીરાના માતા-પિતા દ્વારા અપહરણ અંગેની લેખિતમાં રજૂઆત બાદ બંનેની લાશ નદીના તટ પરથી મળી આવતા બંને પરિવારો શંકાના દાયરામાં,  

દે.બારીયા તા.25દે.બારીયા:પાનમનદીના તટ પર સગીરવયના પ્રેમી પંખીડાની લાશ શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકતી મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા? તે અંગે ઘૂંટાતું રહસ્ય:પોલીસ તપાસમાં જોતરાઇ

દેવગઢ બારીયા તાલુકાના બૈણાગામના સગીરવયના પ્રેમી પંખીડાની લાશ પાનમનદીના તટ પર આવેલા ઝાડ પર શંકાસ્પદ હાલતમાં લટકતી જોવા મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જોકે આ બન્ને પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી છે.કે કેમ? તે અંગે અનેક શંકા કુશંકાઓએ જન્મ લીધો છે.જ્યારે હાલ પોલિસે બંને પ્રેમી જોડાની લાશનો કબ્જો મેળવી પીએમ કરવા માટે દેવગઢબારિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવી છે.ત્યારે પીએમ રિપોર્ટ બાદ જ બંને પ્રેમી પંખીડા ના મોત અંગેની સાચી હકીકત બહાર આવશે તેમ જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા તાલુકામાં અનેક શંકા કુશંકા ઉપજાવનારો બનાવ સામે આવવા પામ્યો છે.જેમાં દે.બારીયાના બૈણા ગામના ભૂલવણ ફળીયાની રહેવાસી ભગાભાઇ નટવરભાઈ પરમારની 15 વર્ષીય પુત્રી અવંતિકાબેન તેમજ તેમના ફળિયાના રહેવાસી મોહનભાઇ માવીનો 17 વર્ષીય પુત્ર કિશનની લાશ આજરોજ પાનમનદીના તટ પર આવેલા ખાખરાના ઝાડ પર શંકાસ્પદ હાલતમાં જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઉપરોક્ત બનાવની જાણ બંને છોકરા છોકરીના પરિવારજનોને તેમજ પોલીસને થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા એકત્રિત થયા હતા.ત્યારબાદ પોલિસે ઉપરોક્ત બંને છોકરા છોકરીની લાશને નીચે ઉતારી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દીધી હતી.જોકે મળતી માહિતી અનુસાર આ બન્ને સગીરવયના છોકરા-છોકરી વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.જ્યારે બે દિવસ અગાઉ બન્ને પ્રેમીજોડા ઘરેથી ભાગી જતા સગીરાના માતાપિતાએ મરણજનાર કિશન વિરુદ્ધ અપહરણની ફરિયાદ કરવા આવ્યા હતા.અને પોલિસે અરજી સ્વીકારી બાદ તપાસ હાથ ધરી હતી.અને આજરોજ બંને છોકરા છોકરીની લાશ આજરોજ પાનમ નદીના તટ પર ખાખરાના ઝાડ પર શંકાસ્પદ હાલતમાં લટકતી જોવા મળતા અનેક શંકા કુશંકાઓએ જન્મ લીધો છે.બંને પરિવારજનો દ્વારા બન્ને છોકરા છોકરી જોડે કંઈક અજુગતું કરી આત્મહત્યાંમાં ખપાવવાનો કારસો રચ્યો હોવાની ચર્ચાઓએ હાલ પંથકમાં જોર પકડ્યું છે. ત્યારે હાલ બન્ને પરિવારજનો સામે શંકાની સોઈ તોળાઈ રહી છે. ત્યારે હાલ દેવગઢબારિયા પોલીસે ઉપરોક્ત બનાવ સંદર્ભે એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.જોકે બંને છોકરા-છોકરીના પીએમ રિપોર્ટ બાદ જ સાચી હકીકત બહાર આવે તેમ છે.ત્યારે હાલ તો કોઈની નજર પીએમ રિપોર્ટ પર મંડરાયેલી છે.

error: Content is protected !!