રાહુલ ગારી, ગરબાડા
ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરતા ગરબાડા ના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા
ગરબાડા ના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરી હતી જેમાં પત્રમાં જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના આદિવાસી પરિવારો મજૂરી કામ માટે શહેરો તરફ પ્રયાણ કરે છે અને હોળી એ આદિવાસી સમાજનો એક મુખ્ય તહેવાર છે તો તેઓને માદરે વતન આવવા માટે સરકાર દ્વારા રાહત ફ્રી સેવા બસની મુસાફરી પૂરી પાડવા બાબતે પત્ર લખી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી જેમાં તેઓએ વધુ પત્રમાં જણાવ્યા અનુસાર આદિવાસી સમાજના લોકો પોતાનું અને પરિવારનું પેટીયુ રળવા માટે મજૂરી કામ માટે ગુજરાત અને કાઠીયાવાડમાં મજૂરી કામ માટે જતા હોય છે અને તેઓ શિયાળો ચોમાસુ તેમજ ઉનાળામાં મજૂરી કામ કરીને પોતાનું અને પરિવારનું પેટિયું રળતા હોય છે જેમાં હોળીના 15 દિવસ આગળ આદિવાસી સમાજના લોકો મજૂરી છોડીને હોળીનો પર્વ મનાવવા માટે માદરે વતન આવતા હોય છે હોળી એ આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર છે જેમાં સરકાર શ્રી દ્વારા મજૂરી કામ કરીને માદરે વતન આવતા આદિવાસી સમાજના લોકોને સરકારશ્રી દ્વારા તારીખ૧/૩/૨૦૨૩ થી તારીખ ૬/૩/૨૦૨૩ સુધી રાહત બસ સેવા પૂરી પાડવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરી હતી