રાજેશ વસાવે: દાહોદ
દાહોદમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જ્ઞાન સ્મૃતિ દિવસ નિમિત્તે પરીક્ષાનું ભવ્ય આયોજન કરાયું.!
દાહોદ તા.15

દાહોદમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ,બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દ્વારા શ્રી સ્વર્ગસ્થ વી.એમ. પારગી(IPS Re td) સ્મૃતિ જ્ઞાન દિવસની યાદગાર પળોને જીવંત રાખવા સ્પર્ધાત્મક સ્કોલરશીપ પરીક્ષા આજરોજ 14/12/2025 ના રોજ 11.00થી 1.00 દરમિયાન શ્રી આઈ રમીલા આર્ટસ કોલેજ છાપરી અને ગુરુકુલ વિદ્યાલય છાપરી આમ બે સ્થળો પર યોજાઈ હતી.જેમાં સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપી

હતી.આજરોજ સંપન્ન થયેલ સામાન્ય જ્ઞાન સ્પર્ધાત્મક સ્કોલરશીપ પરીક્ષામા ભાગ લેનાર તમામ પરીક્ષાથી ભાઈ બહેનોનો બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ, બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખુબ ખુબ આભાર માને છે. આ પરીક્ષા આયોજન કામગીરીમાં મદદરૂપ થનાર તમામ ભાઈ બહેનોનો પણ સમાજ ભવન ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે .બંને સ્થળના પરીક્ષા સ્થળના બિલ્ડીંગ આ કામગીરી માટે ફાળવી આપવા બદલ સંબંધિત સંસ્થાના વહીવટીકર્તાઓનો પણ સમાજ ભવન ખુબ ખુબ આભાર માને છે. પરીક્ષા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવા બદલ જિલ્લા પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. પ્રેસ મીડિયાનો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે . બિરસા આદિવાસી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ ટીમના સદસ્યો, સુપરવાઇઝર તરીકે કામગીરી કરનાર મિત્રોનો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. અન્ય રીતે પણ મદદરૂપ થનાર તમામનો બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. સ્વ. વી એમ પારગી સાહેબના પરિવારજનોનો આર્થિક સહયોગ આપવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.