
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે પર ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત, ચાલક ક્લિનર સહિત ત્રણ ઇજાગ્રસ્ત..
ફોટકાયેલી ટ્રકો સાથે પાછળથી પુરપાટ આવતી ટ્રક અથડાઈને પલટી મારી.
દાહોદ તા.18
દાહોદ નજીકથી પસાર થતાં ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ત્રણ ટ્રકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ક્લીનર તેમજ ચાલક સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. રાત્રિના સમયે બનેલી ઘટના બાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એક તરફનો હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી તેમજ ત્રણેય ટ્રકોને રસ્તા પરથી સાઈડમાં ખસેડી બંધ કરેલો વાહન વ્યવહાર શરૂ કરવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ નજીક રાબડાલ નજીકથી પસાર થતા ઇન્ડોર અમદાવાદ નેશનલ હાઈવે પર ગતરોજ 10:30 વાગ્યાના સુમારે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં રાબડાલ ગામ નજીક ગોધરા તરફથી આવતી અને મધ્યપ્રદેશ તરફ જતી બે ટ્રક પૈકી એક ટ્રક ખોટકાતા માલ ભરેલી બંને ટ્રકો રસ્તાની સાઈડમાં ઉભી રાખી હતી. અને ચાલક અને ક્લીનર ટ્રક નીચે ઘૂસી ટ્રક રીપેર કરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી અન્ય એક બસ સામાન ભરીને પુરપાટ આવતા રાત્રિના અંધારામાં રોડની સાઈડમાં ઊભેલી બંને ટ્રકો સાથે જોશબેર અથડાઈ પલટી મારતા ટ્રકનો સામાન રોડ પર વિખેરાઈ ગયો હતો. ટ્રકો ધડાકાભેર અથડાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને 108 મારફતે ટ્રકના નીચે સમારકામ કરી રહેલા ક્લીનર અને ચાલક સહિત ત્રણ લોકોને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા. સાથે જ ઘટનાની જાણ ટોલ ઓથોરિટી ને કરવામાં આવતા થોડીક વારમાં ટોલ થોરિટીના માણસો વાન સાથે આવી ગયા હતા. અને સુરક્ષાની દ્રષ્ટિએ એક તરફનો હાઇવે બંધ કર્યો હતો. કલાકો બાદ ટ્રક અને હાઇવે પર વિખરાયેલો સામાન રસ્તા પરથી સાઈડમાં મૂકવામાં આવ્યો હતો. અને બંધ કરેલો રસ્તો પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સદભાગ્ય કોઈ જાનહારી બની નહોતી. પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઇવેના એલાઈમેન્ટના લીધે અહીંયા વારંવાર અકસ્માત થાય છે. જેમ મામલે સંબંધિત તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય પગલાં લેવા જોઈએ