Friday, 06/06/2025
Dark Mode

*રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં બિરસા મુંડા ભવન દાહોદ ખાતે યુવા સંવાદ યોજાયો* 

June 5, 2025
        620
*રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં બિરસા મુંડા ભવન દાહોદ ખાતે યુવા સંવાદ યોજાયો* 

રાજેશ વસાવે :- દાહોદ 

*રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં બિરસા મુંડા ભવન દાહોદ ખાતે યુવા સંવાદ યોજાયો* 

દાહોદ તા. ૫

*રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં બિરસા મુંડા ભવન દાહોદ ખાતે યુવા સંવાદ યોજાયો*  *રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં બિરસા મુંડા ભવન દાહોદ ખાતે યુવા સંવાદ યોજાયો* 

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં બિરસા મુંડા ભવન દાહોદ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અનુસૂચિત જનજાતિ આયોગની ટીમ દ્વારા આયોગના કાર્યો, તેની શક્તિઓ, તેની ફરજો વિશે સૌને માહિતગાર કર્યા હતા.

*રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં બિરસા મુંડા ભવન દાહોદ ખાતે યુવા સંવાદ યોજાયો* 

આ યુવા સંવાદ દરમ્યાન ટ્રાયબલ લોકોની હાલની પરિસ્થિતિ, વિકાસના કાર્ય, શિક્ષણ, આરોગ્ય, ખેતી, રોજગારી સહિતના પ્રશ્નો આયોગ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો ને આયોગ દ્વારા રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીશ્રી, રાજ્યપાલશ્રી અને કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રપતિશ્રીને અહેવાલ આપવામાં આવશે. જેથી તે પ્રશ્નોનું નિરાકરણ આવી શકે.

સરકારની યોજનાઓ, સ્કોલરશીપ, ફ્રી શિપ કાર્ડ, એટ્રોસિટી જેવા મહત્વના વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો દ્વારા બોગસ પ્રમાણપત્રો ધરાવતા લોકોના જાતિના પ્રમાણપત્ર રદ કરવા, સ્થાનિક કક્ષાએ આદિવાસી સમાજના યુવાનોને રોજગારી મળે, ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા, આદિવાસી પૂર્વ પટ્ટામાં શાળાઓમાં ઘટતા શિક્ષકોની ભરતી કરવી, આદિવાસીઓનો જળ-જંગલ-જમીનનો અધિકાર જળવાઈ રહે, વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સરકાર દ્વારા બસની સુવિધા કરાવવી, આદિવાસી સમાજની જીવનશૈલી રીતે રિવાજ અને તેમની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આદિવાસીઓને અમુક બાબતમાં છૂટછાટ આપવી, દાહોદ જિલ્લામાં સિકલસેલનું પ્રમાણ વધુ હોવાથી ઝુંબેશ સ્વરૂપે દરેક વ્યક્તિનું ચેકઅપ કરવામાં આવે જેવી માંગણીઓ સરકાર સુધી પહોંચાડી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી આયોગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

આ સંવાદ કાર્યક્રમમાં અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યએ યુવાઓને સંબોધન કરતા કહ્યું હતું કે, દરેક યુવાન વિદ્યાર્થીકાળમાં ક્યારે પણ રાજકીય પાર્ટીઓમાં કે આંદોલનોમાં ભાગ ન લેવો , વિદ્યાર્થીકાળમાં પોતાના ભવિષ્ય પર પ્રકાશ પાડી સફળ કારકિર્દી બનાવવી જોઈએ. સાથે જ ઓપરેશન સિંદૂર વિશે તેમણે કહ્યું કે, આપણા દેશની એકતા અને અખંડિતતાને તોડવા માટે વિદેશી દુશ્મન દેશના લોકો કાવતરાઓ કરે અને આંતકવાદી પ્રવૃત્તિ કરે છે ત્યારે આપણે આંતરિક રીતે આપસમાં એક જુથ રહેવુ જોઈએ.

આયોગના અધ્યક્ષશ્રીએ પર્યાવરણ વિશે વાત કરતા કહ્યું કે, આધુનિકતા તરફ ધકેલાતી પેઢીને પર્યાવરણ વિશે માહિતગાર કરીને એક પેડ માં કે નામ અંતર્ગત દેશના દરેક નાગરિકોએ પોતાની ફરજ સમજીને વૃક્ષોનું વધારે થી વધારે વાવેતર કરવું જોઈએ. કારણ કે, માનવ સૃષ્ટિ માટે એક આધારભૂત કુદરતી વાયુ માત્ર વૃક્ષોથી માણસને મળે છે એટલે વૃક્ષોનું વધારે વાવેતર કરવું જોઈએ. 

આ યુવા સંવાદ કાર્યક્રમમાં બિરસા મુંડા ભવનના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, મદદનીશ કમિશનરશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, બિરસા મુંડા ભવનના સભ્યો, યુવાનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!