
રાજેશ વસાવે :- દાહોદ
વડાપ્રધાન મોદીની દાહોદ મુલાકાત:24 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ,
ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરશે, કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો.
દાહોદ તા.25
દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મહત્વપૂર્ણ મુલાકાત લેશે. તેઓ 24 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ સાથે ભારતમાં નિર્મિત પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરવાના છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.
આવતિકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11:20 વાગ્યે ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરમા દાહોદ ખાતે ઉસરવાણ હેલીપેડ પર પહોંચશે અને ત્યાથી સીધા રેલવે કારખાનાનું નિરીક્ષણ કર્યા બાદ, 11:50 વાગ્યે ડોકી ખાતેના સભા સ્થળે જશે જ્યા એક લાખ ઉપરાંતની જન મેદનીને વડાપ્રધાન સંબોધન કરશે અને 24 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત 8 એસપી, 30 ડીવાયએસપી, 90 પીઆઈ અને 225 પીએસઆઈ સહિત 3000 જેટલા પોલીસ જવાનો તૈનાત કરાયા છે. કાર્યક્રમ સ્થળે એક લાખ લોકો માટે ત્રણ વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે. ગરમીથી રક્ષણ માટે પંખા અને વોટર સ્પ્રિંકલરની વ્યવસ્થા કરવામાં આવી છે.
વહીવટી તંત્રે લોકોની સુવિધા માટે બસો અને ખાનગી વાહનોની વ્યવસ્થા કરી છે. પાણી, પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. SPGના જવાનો સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહ્યા છે.