Sunday, 01/06/2025
Dark Mode

ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે:ધારાસભ્ય રમેશ કટારા* *ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજવામાં આવી*

May 21, 2025
        786
ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે:ધારાસભ્ય રમેશ કટારા*  *ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજવામાં આવી*

બાબુ સોલંકી:- સુખસર

*ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે:ધારાસભ્ય રમેશ કટારા*

*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજવામાં આવી*

*તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યું*

 સુખસર,તા.20 

ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે:ધારાસભ્ય રમેશ કટારા* *ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજવામાં આવી*

  ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતા અંતર્ગત તિરંગા યાત્રા યોજાઇ હતી.જેમાં જમ્મુ કશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સુખસર મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત તાલુકાના નગરજનોની ઉપસ્થિતિમાં તિરંગાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તિરંગા યાત્રાની શરૂઆત કરાવી હતી.ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા સહીત મોટી સંખ્યામા આસપાસના દેશ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ.

           ફતેપુરા તાલુકાના સુખસરમાં દેશના જાબાજ સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂર પાર પાડવા બદલ તેની ઉજવણી સંદર્ભે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સુખસર ખાતે મંગળવારના રોજ આઈ.ટી.આઈ થી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી.સાંસદ જશવંતસિંહ ભાભોરે તિરંગા યાત્રા શરૂ કરાવી હતી.આ તિરંગા યાત્રા દેશભક્તિના ગીતો સાથે સુખસર નગરમાં કાઢવામાં આવી હતી.જેમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા. તિરંગા યાત્રામાં પૂર્વ ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર,ફતેપુરા તાલુકા પ્રમુખ ભરતભાઈ પારગી,સુખસર સરપંચ નરેશભાઈ કટારા સહિત ગામ ના આગેવાનો,આસપાસ વિસ્તારના સરપંચો,કાર્યકર્તાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને તિરંગા યાત્રામાં જોડાયા હતા. ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું કે,ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે.સૈનિકોના સન્માન માટે યોજાયેલી તિરંગા યાત્રામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિની સરાહના કરી હતી. સુખસર પોલીસ મથકના પી.આઇ વરુ સહિત પોલીસ સ્ટાફ પણ તિરંગા યાત્રામાં જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!