Friday, 30/05/2025
Dark Mode

ધાનપુર-બારિયા મનરેગામાં 35 પૈકી ચાર એજન્સીઓ શંકાસ્પદ નીકળતાં તપાસ શરૂ કરાઇ   બેન્ક ખાતાના નામે એજન્સી બનાવી અને જીએસટી નંબર મેળવીને રૂપિયા ઉલેચી લીધા

May 21, 2025
        1000
ધાનપુર-બારિયા મનરેગામાં 35 પૈકી ચાર એજન્સીઓ શંકાસ્પદ નીકળતાં તપાસ શરૂ કરાઇ    બેન્ક ખાતાના નામે એજન્સી બનાવી અને જીએસટી નંબર મેળવીને રૂપિયા ઉલેચી લીધા

ધાનપુર-બારિયા મનરેગામાં 35 પૈકી ચાર એજન્સીઓ શંકાસ્પદ નીકળતાં તપાસ શરૂ કરાઇ 

બેન્ક ખાતાના નામે એજન્સી બનાવી અને જીએસટી નંબર મેળવીને રૂપિયા ઉલેચી લીધા

જીએસટી નંબર આવ્યા બાદ ખાતા ધારકના પુર્ણ નામની જ એજન્સી બતાવી કૌભાંડને અંજામ

| દાહોદ

 

દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગાના કામો અધુરા છોડેલા કામોને પૂર્ણ બતાવીને એલ1માં ન હોવા છતાં 71 કરોડ રૂપિયા મેળવીને સરકારી તીજોરી ઉલેચનારી 35 એજનસીઓ સામેની ફરિયાદે ખળભળાટ મચાવી દીધો હતો. બીજી બાજુ આ કૌભાંડમાં પંચાયત અને કૃષિ મંત્રીના જ બે પુત્રોની સંડોવણીએ રાજકીય ભુકંપ પણ લાવી દીધો હતો. ત્યારે સમગ્ર કૌભાંડમાં કેવા ખેલ ખેલાયા હતા તેનો પર્દાફાશ થયો હતો. સરકારી યોજનાના નાણાને બારોબાર વગે કરી દેવા માટે 35 પૈકીને ચાર એજન્સીઓ શંકાના દાયરામાં છે. જેમાં કૌભાંડમાં સંડોવાયેલા એજન્સી માલીકોએ એજન્સીમાં પુરૂષ અને મહિલાઓના પુર્ણ નામો જ લખેલા છે. જોકે આની ઉંડી તપાસ કરતાં આ નામો જેમના બેન્ક ખાતા છે એમના જ સીધા નામની એજન્સી બતાવીને નાણા ચુકવી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યુ હતું. જોકે પોલીસ તપાસમા હજુ કેવી વિગતો બહાર આવેવે છે તેની પર સૌની મીટ છે. 

દેવગઢ બારિયા અને ધાનપુરમાં એલ1માં ન હોય તેવી એજન્સીઓને 71 કરોડ રૂપિયા ચૂકવવાના પ્રકરણમાં બેન્ક ખાતાના નામને જ એજન્સી બતાવીને નાણા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી. દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 મળીને કુલ 35 એજન્સીઓને રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ 35 એજન્સીમાંથી ચાર એજન્સી શંકાસ્પદ જણાઇ રહી છે. જેમાં એક એજન્સી પુરૂષ જ્યારે ત્રણ એજન્સીમાં મહિલાના પૂર્ણ નામ લખેલા છે. આ પૂર્ણ નામો એજન્સી નહીં બલકે બેન્ક ખાતાના નામો હોવાની આશંકા સેવાઇ રહી છે. આ એજન્સી દ્વારા પાનકાર્ડના આધારે પોતાના બેંક ખાતાના પુરા નામના જીએસટી નંબર કઢાવી લીધા હતા. જીએસટી નંબર આવી ગયા બાદ ખાતા હોલ્ડરનું નામ એજન્સી તરીકે ઉપયોગ કરીને બિલો આપીને રૂપિયાની હયગય કરી લેવામાં આવી હતી. સરકારના નાણા ઉલેચવા માટે ઉતાવળા થયેલા લોકોએ એજન્સીના નામ તો ઠીક સીધા બેન્ક એકાઉન્ટના નામોથી જીએસટી નંબર લઇને એજન્સી બતાવી દીધી હતી અને રૂપિયા જમા કરાવી લેતાં 4 એજન્સીઓ સામે શંકાઓ ઉભી થઇ છે. 

એમઆઇએસ દ્વારા કયા પ્રકારની ગેરરીતિ કરાઇ 

મનરેગાના તમામ ડેટાને સિસ્ટમમાં દાખલ કરવા માટે MIS ઓપરેટર એ એક મુખ્ય કડી છે તે અપડેટ કરે છે અને મેનેજ કરે છે. ઓપરેટર સંજય બારિયાએ જોબકાર્ડની એન્ટ્રીમાં ઘપલા સાથે બોગસ મસ્ટર રોલનો પણ ખેલ કર્યો હતો. પૂર્ણ નહીં થયેલા કામોને પૂર્ણ બતાવી દીધા હતા. આ સાથે કામના ભોતિક માપમાં ખોટી વિગતો દાખલ કરી હતી. જરૂરિયાત કરતાં વધુ કામ બતાવ્યુ હતું. આ સાથે મળતિયાઓના બેંક ખાતા નંબર પણ દાખલ કરીને ભંડોળ રિલીઝ કરવા સંબંધિત પ્રક્રિયામાં ખોટી એન્ટ્રીઓ કરી હતાં. આ સાથે અધિકારીઓના યુઝર આઇડી અને પાસવર્ડનો દુરુપયોગ પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!