
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી મળેલ સગીર વયના બાળકને માતા-પિતા સોપાયો..
મધ્યપ્રદેશના ઇંદોરથી ઘરના રિસાઈ નિકળેલો બાળકને આરપીએફએમ માતા પિતાને સુપરત કર્યો..
દાહોદ, તા. ૧૮
દાહોદમાં ઘરેથી રિસાઈને ભાગેલા સગીર વયના બાળકને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતારી લીધો હતો. ત્યારબાદ બાળકનું કાઉન્સિલિંગ કરી માતા પિતાની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્દોર ખાતે રહેતા તેના માતા પિતાનો સંપર્ક કરી દાહોદ ખાતે બોલાવ્યો હતો અને જરૂરી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી બાળકને મા-બાપને સુપ્રત કરાયો હતો.
મધ્યપ્રદેશના ઇન્દોરથી રિસાઈને ભાગેલા 15 વર્ષીય સગીર બાળકને દાહોદ રેલવે સ્ટેશન પર ફરજ પર રહેલા આરપીએફના હેડ કોન્સ્ટેબલ ગોપાલ મીનાએ ટ્રેન નંબર 19020 બાંદ્રા હરિદ્વાર દેરાદુન એક્સપ્રેસમાંથી ઉતાર્યો હતો. અને પોલીસ સ્ટેશનને લાવી પૂછપરછ કરતા આ બાળકની ઓળખ સુર્યપ્રતાપસિંહ અખિલેશસિંહ ચૌહાન રહે. ઇંદોરના એરપોર્ટ રોડ સ્થિત ન્યુ નાગિન નગર ના હોવાનું સામે આવ્યું હતું.સુર્યપ્રતાપસિંહે પૂછપરછમાં જણાવ્યું હતું કે તે પોતાનાં માતા પાસેથી નારાજ થઈને ઘરમાંથી નીકળી ગયો હતો.પોલીસ દ્વારા જણાવાયેલા મોબાઇલ નંબર પરથી તેના પિતાને જાણ કરવામાં આવી હતી. પિતા અખિલેશસિંહ ચૌહાને પુષ્ટિ આપી કે આ તેમનો પુત્ર છે અને તેઓ બડવાની ખાતે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ બાળકના પિતાને દાહોદ ખાતે બોલાવ્યો હતો અને પોલીસ દ્વારા તમામ જરૂરી તપાસ બાદ બાળકને તેની માતા મધુ ચૌહાન અને પિતા અખિલેશસિંહને સકૂશળ સોપવામાં આવ્યો હતો. પરિવારજનો અને માતા-પિતાએ રેલવે સુરક્ષા દળનો આભાર વ્યક્ત કર્યો હતો.