
રાજેશ વસાવે :- દાહોદ
7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ તથા 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની કરાશે ઉજવણી
આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ, આરોગ્ય સંવાદ-નિદાન કેમ્પ જેવી પ્રવૃત્તિઓનું કરાશે આયોજન
દાહોદ તા. 6
નિયામકશ્રી આયુષની નિયંત્રણ હેઠળના તમામ આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસરને વિશ્વ આરોગ્ય દિવસ ૭ એપ્રિલ ૨૦૨૫ તથા વિશ્વ હોમિયોપેથી દિવસ તા.૧૦/૦૪/૨૦૨૫ની ઉજવણી નીચેની થીમ ઉપર આધારિત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ, આરોગ્ય સંવાદ-નિદાન કેમ્પ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવા અત્રેથી આદેશ કરવામાં આવે છે.
(01) વિશ્વ આરોગ્ય દિવસ 2025ની થીમ પર Healthy Beginnings, Hopeful Futures”
(02) વિશ્વ હોમિયોપેથી દિવસ ૨૦૨૫ ની થીમ પર અધ્યયન – “અધ્યાયન – અનુસંધાન” વિવિધ પ્રવૃત્તિઓ (પૈકી કોઈપણ એક કે બે)
. નિદાન કેમ્પ
. આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ
. શાળા-કોલેજ આરોગ્ય પરિસંવાદ
. આરોગ્ય શિબિર
. સગર્ભા-ધાત્રી કિશોરી આરોગ્ય તપાસ
જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કે જેમાં વિવિધ નીચે મુજબની પ્રવૃતિઓ યોજવામાં આવેલ છે જેમાં તા.૦૭/૦૪/૨૦૨૫ના રોજ સરકારી નર્સિંગ કોલેજ દાહોદના સહયોગથી આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પોસ્ટર, ડિબેટ. ઇલોકયુશન (સ્પીચ), ક્વીઝ તથા રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે. જે આ વર્ષની વિશ્વ આરોગ્ય દિવસની થીમ આધારિત રહેશે આ કાર્યક્રમના મુખ્ય સંયોજક તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ સુધીર જોશી ફરજ બજાવશે અને સહસંયોજક તરીકે ડૉ. માલતીબેન બિલવાલ (મે.ઓ.સ.આ.દ ટાંડા) તથા ડૉ.મોનાબેન રાઠવા (મે.ઓ. સ.આ.દ જનરલ હોસ્પિટલ દાહોદ) ફરજ બજાવશે આ સાથે ત્રણેય તબીબો સંયુક્ત રીતે સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પણ ભૂમિકા ભજવશે.
તા.૦૮/૦૪/૨૦૨૫ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગ રૂપે શામળાજી હોમીયોપેથીક મેડિકલ કોલેજ ગોધરાના સહયોગથી તે કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓ જેવી કે પોસ્ટર ડિબેટ-ક્વીજ-સ્પીય ઇત્યાદિનું આયોજન કરાયેલ છે. જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, ડૉ.અનીતાબેન રાઠોડ (સ.હો.દ.જનરલ હોસ્પિટલ દાહોદ), ડૉ.અલકેશ બારીયા (સ.હો.દ.સુખસર તા.ફતેપુરા જિ.દાહોદ) ડૉ.ભુમીકાબેન જાદવ (સ.હો.દ.દેવગઢ બારીયા તા.દે.બારીયા જિ.દાહોદ), ડૉ.ઉમેશ શાહ( સ.હો.દ. સિંગવડ તા.સિંગવડ જિ.દાહોદ) ડૉ.પ્રીકેશ નાયક ( સ.હો.દ.લીમડી તા.ઝાલોદ જિ.દાહોદ) નિર્ણાયક તરીકે ભુમીકા ભજવશે અને માર્ગદર્શન આપશે.
તા.૦૯/૦૪/૨૦૨૫ના રોજ સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે આયુષ-આરોગ્ય પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આયુર્વેદ અધિકારીશ્રી, દાહોદ ડૉ.સુધીર જોશી, ડૉ.અલકાબેન બારીયા M.O (સ.આયુ.દ.છાસીયા તા.ઝાલોદ જિ.દાહોદ), ડૉ સંગીતાબેન બોખાણી M.O (સ.આયુ.દ. કારઠ તા.ઝાલોદ જિ.દાહોદ), તથા ડૉ દેવેંન્દ્ર ડામોર M.O (હોમિયો.દવાખાનું-પુંસરી તા.જિ.દાહોદ)ના તબીબો આરોગ્ય-આયુષ વિષયક માર્ગદર્શન આપશે.
તા. ૧૦/૦૪/૨૦૨૫નાં રોજ તમામ હોમીયોપેથીક દવાખાનાના વિસ્તારમાં નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે.
000