
રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા ચૂંટણી મહાસંગ્રામ:દાહોદ બેઠક પર આજરોજ વધું ૭ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું.
બીજેપી, કોંગ્રેસ,બસપા તેમજ અપક્ષના ઉમેદવારો ફોર્મ ભર્યા.
અગાઉ ચાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે
અત્યાર સુધીમાં ભાજપમાંથી છ કોંગ્રેસમાંથી બે,બસપા માંથી બે , તેમજ અપક્ષ તરીકે એકે ફોર્મ ભર્યું
દાહોદ તા.16
લોકસભાની ચૂંટણીની હવે ઘડીયો ગણાઈ રહી છે. તારીખ 12 એપ્રિલથી જાહેરનામું પ્રસિદ્ધ થતા ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવા ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વિવિઘ રાજકીય પક્ષોના 16 થી વધું ઉમેદવારો દ્વારા 52 જેટલા ફોર્મનો ઉપાડ કરવામાં આવ્યો હતો. જોકે ચૂંટણી પંચ દ્વારા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ નક્કી કરેલ હોય ત્રણ દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ત્રીજી વખતના લોકસભા ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ,જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણ સોમજી ડામોર,ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયા,તથા ટેકેદારો સાથે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યો હતો. સાથે સાથે અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા પણ આજરોજ મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડે સમક્ષ ઉમેદવારી ફોર્મ જમા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી . ત્યારબાદ આજરોજ બીજેપી માંથી જશવંત ભાભોર દ્વારા વધુ બે ફોર્મ આજરોજ ભરવામાં આવ્યા તો કોંગ્રેસમાંથી પ્રભાબેન કિશોરભાઇ તાવીવાડ, તેમજ કોંગ્રેસના ડમી ઉમેદવાર તરીકે કિશોર દલાભાઈ તાવીવાડ, અપક્ષ માંથી દેવેન્દ્ર લક્ષ્મણભાઈ મેડા, બહુજન સમાજ પાર્ટીમાંથી મણીલાલ હીરાભાઈ બારીયા, સહકાર પાર્ટીમાંથી નવલસિંહ લુણાભાઈ પસાયા સહીત વધુ 7 ઉમેદવારોએ આજરોજ મુખ્ય અધિકારી સમક્ષ નામંકન દાખલ કર્યા હતા. જોકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવતીકાલે હોય આવતીકાલે પણ સંભવત ઉમેદવારો દ્વારા નામાંકન દાખલ કરવામાં આવશે . તેવું હાલના તબક્કે જોવાઈ રહ્યું છે. જોકે ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ વીત્યા પછી લોકસભા 2024 ની ચૂંટણીમાં દાહોદ બેઠક પર કયા રાજકીય પક્ષનો ઉમેદવાર ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે તે સ્પષ્ટ થશે.