
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ ભાજપના ઉમેદવારે નામાંકન ફોર્મ ભર્યું, ભમરેચી માતાના આશીર્વાદ લઇ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો..
દાહોદ તા.૧૬
દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરે આજે દાહોદ કલેકટર કચેરી ખાતે વિજય મુહૂર્તમા ત્રીજી વાર લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવવા માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે,ત્યારે આજે દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કબીર મંદિરે દર્શન કરી પુજા અર્ચના કરી હતી, અને ત્યાર બાદ તેમના માતા પિતાને તિલક કરી, વંદન કરી આશીર્વાદ લીધા હતા,અને પિતાનુ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ, જ્યારે માતાને સાડી અર્પણ કરી હતી, માતા અને પિતાને મિઠાઇ ખવડાવી આશિર્વાદ લીધા હતા.અને સાંસદ જશવંતસિંહ ભાભોરના પિતા સુમનભાઈ ભાભોરે પુત્ર જશવંતસિંહ ભાભોરને લોકસભાની ચૂંટણીમા પાંચ લાખથી વધુ મતોની લીડથી વિજય થવાના આશિર્વાદ આપ્યા હતા.દર વખતની પરંપરા મુજબ આ વખતે પણ સાંસદ જશવંતસિંહ ભાભોર મા ભમરેચી ના આશીર્વાદ લેવાનુ ચૂક્યા ન હતા, આ વખતે ટીકીટ જાહેર થતાની સાથે જશવંતસિંહ ભાભોર મા ભમરેચીના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા, અને આજે ત્રીજી વાર સાંસદ સભ્યની ચૂંટણી મા ઉમેદવારી નોંધાવતા પહેલા મા ભમરેચીના મંદિરે પરિવાર સાથે પહોચ્યા હતા, જ્યા મા ભમરેચીની પૂજા, અર્ચના કરી શ્રીફળ વધેરી મા ભમરેચીના આશિર્વાદ લીધા હતા,
સાંસદ જસવંતસિંહ ભાભોરે મા ભમરેચી પર અતૂટ શ્રધ્ધા ધરાવે છે, જ્યારે પણ ચૂંટણીમા નામની જાહેરાત હોય, ઉમેદવારી ફોર્મ ભરવાનુ હોય કે પછી, ચુંટણીમા વિજય પ્રાપ્ત કર્યો હોય,જશવંતસિંહ ભાભોર મા ભમરેચીના આશિર્વાદ લેવાનુ ક્યારે ચૂકતા નથી.દાહોદ વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરને ભાજપ દ્વારા સતત ત્રીજી વાર રીપીટ કરવામા આવતા આજે દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે જશવંતસિંહ ભાભોર દાહોદ કલેક્ટર કચેરી ખાતે 12:39 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ,ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ગુજરાત સરકારના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ દાહોદ લોકસભા બેઠકના પ્રભારી રામસિંહ રાઠવા, જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, જીલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સાંસદ જશવંતસિંહ ભાભોર જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના વિકાસ માટે છેલ્લા દસ વર્ષમાં ઘણા કામો કરવામાં આવ્યા છે મોદી સરકારે દાહોદને સ્માર્ટ સિટી જાહેર કરીને શહેરનો વિકાસ કર્યો છે દાહોદ શહેર સહી જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હોય ખેતીના પાણીની સમસ્યા હોય તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અનેક કદમો ઉઠાવ્યા છે દાહોદ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સાંસદ જશવંતસિંહ ભાભોર જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના વિકાસ માટે છેલ્લા દસ વર્ષમાં ઘણા કામો કરવામાં આવ્યા છે મોદી સરકારે દાહોદને સ્માર્ટ સિટી જાહેર કરીને શહેરનો વિકાસ કર્યો છે દાહોદ શહેર સહી જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હોય ખેતીના પાણીની સમસ્યા હોય તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અનેક કદમો ઉઠાવ્યા છે
દાહોદ જિલ્લાને વિકસિત જિલ્લો બનાવવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સતત કામગીરી કરી રહી છે, અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે આજે ત્રીજી વાર ઉમેદવાર નોંધાવી છે ત્યારે દાહોદની જનતાના ખૂબ આશીર્વાદ મળ્યા છે અને આવનાર લોકસભા ચૂંટણીમાં પણ દાહોદ જિલ્લાની જનતા પાંચ લાખ થી વધુ મતોથી વિજય બનાવીને દિલ્હી મોકલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.