
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું વિજય વિશ્વાસ રેલી થકી શક્તિ પ્રદર્શન,
500 બાઈક સાથે રેલી યોજી; આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે..
દાહોદ તા.૧૫
દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરે ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા શક્તિ પ્રદર્શન કર્યુ હતુ, ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી 500થી વધુ બાઈકો સાથે સાંસદ જશવંતસિંહ ભાભોર બાઈક રેલી યોજી ઈન્દોર હાઈવે પર રાખવામા આવેલ વિજય વિશ્વાસ રેલીમા પહોંચ્યા હતા.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ગુજરાત રાજ્યની 26 બેઠકો ઉપર ત્રીજા તબક્કામાં તારીખ 7 મે ના રોજ મતદાન થવાનુ છે, 12 મી એપ્રિલ થી ઉમેદવારી પત્રો ભરવાની પ્રકિયા પણ શરુ થઈ ગઈ છે દરેક રાજકીય પક્ષના ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવાના પ્રયાસો શરુ કરી દીધા છે,
અને ચુંટણી જંગમા પોતે મજબુર છે તેવો અહેસાસ જનતાને થાય તે માટે શક્તિ પ્રદર્શન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે, ત્યારે ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર મતદારોને આકર્ષવા માટે એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે,
ત્યારે આજે સોમવારના રોજ દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે પણ શક્તિ પ્રદર્શન કર્યું હતું, સોમવારે સવારે 11:30 વાગે દાહોદ ના લીમડી રોડ ખાતે આવેલ જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી 500થી વધુ બાઈકો સાથે ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું,
આ બાઈક રેલીમાં ખુબજ મોટી સંખ્યામાં યુવા મોર્ચાથી થી લઈને ભાજપના તમામ મોરચા અને સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા, આ બાઈક રેલીમાં રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો મહેશ ભુરીયા, રમેશ કટારા, શૈલેશ ભાભોર, મહેન્દ્ર ભાભોર, શૈલેશ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા, બાઈક રેલી દાહોદ શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી, જે દરમિયાન રેલી નું શહેરના અનેક માર્ગો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,
સાંસદ જસવંતસિંહ ભાભોરે સ્વામી વિવેકાનંદની પ્રતિમાના ફુલહાર અર્પણ કર્યા હતા, રેલી મુખ્ય માર્ગો પરથી ઇન્દોર હાઇવે પર સભા સ્થળે પહોંચી હતી, જ્યાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, સભાસ્થળે પહોંચતા ની સાથેજ જશવંતસિંહ ભાભોર દ્વારા ઉપસ્થિત જનમેદનીનું પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.ભાજપના ઉમેદવાર અને સાંસદ જશવંતસિંહ ભાભોરે વિજય વિશ્વાસ રેલીને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, છેલ્લા દશ વર્ષમા ભાજપની સરકારે છેવાડાના માનવીની ચિંતા કરીને અનેક વિકાસના કામો કર્યા છે, નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે ખેડુતો, ગરીબોની સતત ચિંતા કરી છે, અને શોષિતો, વંચિતો, આદિવાસીઓ ના વિકાસ માટે અનેક યોજનાઓ અમલ મા મુકી છે, પ્રધાનમંત્રી મોદીના શાસન કાળમા સમગ્ર વિશ્વમા ભારતની આન, બાન અને શાન વધી છે, સાંસદ તરીકેના ત્યારે દશ વર્ષના સમય દરમિયાન દાહોદ જીલ્લાનો ચારેય દિશાઓમા વિકાસ થયો છે, અને આવનાર સમયમા પણ દાહોદ જીલ્લો વિકાસની હરણફાળ ભરીને વિકાસના નવા આયામો સર કરશે અને દાહોદ લોકસભાની બેઠકને પાંચ લાખથી વધુની લીડથી જીતાડવા માટે કાર્યકર્તાઓને આહ્વાન કર્યુ હતુ.