AVBP દાહોદ દ્વારા સંદેશખાલીમાં મહીંલાઓ પર અત્યાચારોને લઈ સ્વામી વિવેકાનંદ ચોક ખાતે બંગાળનાં મુખ્યમંત્રીનું પૂતળા દહન કર્યું 

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

AVBP દાહોદ દ્વારા સંદેશખાલીમાં મહીંલાઓ પર અત્યાચારોને લઈ સ્વામી વિવેકાનંદ ચોક ખાતે બંગાળનાં મુખ્યમંત્રીનું પૂતળા દહન કર્યું 

દાહોદ તા. ૫ 

આજરોજ તા 5.3.2024 મંગડવારના રોજ 2 કલ્લાકે વાત કરીયેતો પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તુણમુણ કોંગ્રેસના નેતા અને એમના શહાયકો વર્ષોથિ ટાપુની સુંદર અને અબળા મહિલાઓને અપરહણ કરી એમનું શોષણ કરી.અત્યાચારો કરી.જ્યાં સુધી અત્યાચારીઓને સંતોષ ન મળે ત્યાં સુઘી મહિલાઓને બંધક બનાવી એમની જમીનો બળ જબરી પૂર્વક કબ્જો લઈ ઘણા અત્યાચારો કરવામાં આવી રહ્યા છે જયારે અત્યાચાર કરતા અત્યાચારિયો સામે વિરોધ પ્રદસન કરવામાં આવે ત્યારે વિરોધ કરતા લોકોને ધાક ધમકીઓ આપવામાં આવતી હોય છે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી એક મહિલા હોય તેમ છતાં પશ્ચિમ બંગાળના સંદેશખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર આટલા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે હાલ દેશ ભરમાં સંદેશખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર થતા અત્યાચારને લઈ વિરોઘ પ્રદસન કરવામાં આવી રહ્યું છે હાલ દેશ ભરમાં ચલાવવામાં આવેલ વિરોધ પ્રદસનની માત્ર દેખાવા માટે પશ્ચિમ બંગાળની સરકારે અત્યાચારીઓને પકડ્યા પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી જેને લઈ આજરોજ AVBP દાહોદ દ્વારા અત્યાચારીઓ સામે કડક કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે દાહોદનાં સ્વામી વિવેકાનંદ ચોક ખાતે AVBP નાં વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પુતળા દહનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો

Share This Article