Sunday, 08/09/2024
Dark Mode

પંચમહાલના સંતરોડ નજીક રાજસ્થાનના પ્રેમી યુગલે ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારતા બન્નેના મોત..

January 18, 2023
        1484
પંચમહાલના સંતરોડ નજીક રાજસ્થાનના પ્રેમી યુગલે ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારતા બન્નેના મોત..

પંચમહાલના સંતરોડ નજીક રાજસ્થાનના પ્રેમી યુગલે ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારતા બન્નેના મોત: ગોધરા જીઆરપી પોલીસે કાર્યવાહી હાથ ધરી…

દાહોદ તા.૧૮

પંચમહાલના ગોધરા તરફથી પસાર થતો રેલ્વે ટ્રેક કાનસુધી અને ચંચેલાવ તરફ પ્રેમી પંખીડા કહેવાતા એક યુગલે ચાલુ ટ્રેનમાંથી ઝંપલાવી દેતાં બંન્નેના ઘટના સ્થળ પર કરૂણ મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર રેલ્વે પોલીસ દોડી ગઈ હતી અને ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં.

રાજસ્થાનન કરોલી જિલ્લામાં રહેતાં ૨૦ વર્ષીય દેવેન્દ્ર મુનસીરામ જાટવ અને ૧૯ વર્ષીય સોનમ ભરતલાલ જાટવ આ યુગલ ઘરેથીભરૂચ ખાતે આવી ગયા હતા. તેવામાં તેઓના પરિવારજનોને જાણ થતાં આ યુગલને તેઓના ભાઈઓ દ્વારા પોતાના વતન લઈ જવામાં આવતાં હતાં. ત્યારે પ્રેમી પંખીડા તરીકે કહેવાતા આ યુગલે અગમય કારણોસર પંચમહાલના ગોધરાના કાનસુધી અને ચંચેલાવ વચ્ચે જયપુર બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી ચાલુ ટ્રેનમાં ઝંપલાવતાં યુગલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં યુવક અને યુવતી બંન્નેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે રેલ્વે પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં. સમગ્ર મામલે રેલ્વે પોલીસ દ્વારા બંન્નેના મૃતદેહોને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

—————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!