
રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ લાઈવ ડેસ્ક…
સ્માર્ટ સિટી બસ સ્ટેશનમાં સફાઈના અભાવે નર્કાગાર સમાન,કરોડોના ખર્ચે બનેલા બસ સ્ટેશનમાં ગંદકીમાં પસાર થવા મજબુર મુસાફરો,સ્ક્રીનિંગના અભાવે કોરોના સંક્રમણ વધવાના એંધાણ,કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી ઘેટાં બકરાંની જેમ બસોમાં અવરજવર કરતા મુસાફરોમાં શોશ્યલ ડિસ્ટનસ તેમજ માસ્ક પહેરવાનું ભુલ્યા,
બસ સ્ટેશન પરિસરમાં આવેલ ડીઝલ પંપની દુર્દશા,
સ્માર્ટ સીટીનું દાહોદ શહેરનું સ્માર્ટ બસ સ્ટેશન સબળ નેતાગીરીના અભાવે તેમજ એસટી વિભાગની નિષ્કળજીના લીધે પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝુમી રહ્યો રહ્યો છે.જેના લીધે છ વર્ષ પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવીન બસ સ્ટેશનમાં હાલ નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં એસટી મારફતે અવરજવર કરતા હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવા મજબુર બન્યા છે. દાહોદના આ બસ સ્ટેશનમાં કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં પણ અસહ્ય ગંદકી, પાણીનો ઉભરાટ, ગટરના ગંદા પાણી હરહંમેશની માફક અને હવે તો જાણે બારે માસ જાેવા મળી રહ્યા છે.જેના લીધે આવનારા સમયમાં બસ સ્ટેશનના આસપાસના વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઈ રહી છે. આખા વર્ષ દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતા તેમજ એસટી વિભાગના કમાઉ દીકરા ગણાતા દાહોદ બસ સ્ટેશનમાં હાલત બદ થી બદતર થઇ રહ્યા છે.સ્થાનિક આગેવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા બસ સ્ટેશનને નર્કાગાર પરિસ્થિતિ બહાર કાઢી સ્વચ્છ અને રળીયામળું બનાવે તેવી પ્રવર્તમાન સંજોગોમાં લાગણી તેમજ માંગણી ઉઠવા પામી છે.
એસ.ટી વિભાગની નિષ્કાળજી તેમજ સબળ નેતાગીરીના આભાવે છ વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે બનેલા નવીન બસ મથકના હાલ બદથી બદતર થયાં
પાણી ભરેલા ખાબોચિયામાંથી પસાર થવા પેસેન્જરો મજબુર બન્યા
દાહોદ જિલ્લા બન્યા બાદ બદલાતા સમયના વહેણમાં રાજ્ય સરકાર દ્વારા જુના બસ સ્ટેશનને તોડી કરોડો રૂપિયાના ખર્ચે નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ વર્કશોપ તેમજ ડીઝલ પંપ સહીતના વિસ્તારને કયાપલ્ટ કરવામાં કોઈક કારણોસર બાકી રાખી દેવામાં આવ્યું હતું.
જોકે છ વર્ષના ટૂંકાગાળામાં બસ સ્ટેશન તેમજ વર્કશોપમાં ગટરના પાણી અસહય ગંદકીના કારણે બસ સ્ટેશનમાં નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ છે. બસ મારફતે રોજ બરોજ અપડાઉન કરતા નોકરિયાતો, વેપારીઓ મજુર વર્ગ તેમજ મુસાફરો ગંદા પાણીના ખાબોચિયામાંથી પસાર થવા માટે મજબુર બન્યા છે.કેટલાક મુસાફરો તેમજ પ્રવાસીઓ દ્વારા રજૂઆત કર્યા બાદ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.
સ્માર્ટ સીટીના બસ મથકમાં ગટરના પાણી બસ સ્ટેશનમાં ઘુસ્યા:સુલભ સૌચાલય જેવી સુવિધા બાદ પણ જાહેરમાં લઘુશંકા કરતા પ્રવાસીઓ તેમજ મજુર વર્ગ
ગંદકીથી ખદબદતા બસ સ્ટેશન પરિસરમાં જાહેરમાં લઘુશંકા કરતા મુસાફરો
વડા પ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જાહેરમાં સોચ ક્રિયા બંધ કરવા માટે સુલભ સૌચાલય જેવી વ્યવસ્થા ઉભી કરવા કરોડો રૂપિયાની લ્હાણી કરી છે. તેમજ દાહોદ બસ સ્ટેશનમાં પણ સુલભ શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પણ દાહોદ બસ
સ્ટેશનમાં ગટરના પાણી તેમજ જમીનમાંથી ફૂટતા ગંદા પાણી બારેમાસ વર્કશોપ સહીતના આસપાસના વિસ્તારોમાં ફરી ખાબોચિયાનું સ્વરૂપ ધારણ કરી લીધા છે. સફાઈ કર્મીઓના અનિયમિતતાના લીધે વર્કશોપ સહિતના આસપાસના વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.ત્યારે બહાર ગામથી આવતા મજુર વર્ગ તેમજ મુસાફરો આવી ગંદકીના ઢગલા જોઈ ખુલ્લામાં શૌચક્રિયા કરી રહ્યા છે. જોકે આ બાબતે શૌચાલય અંગેની જનજાગૃતિના અભાવે તેમજ સુલભ સૌચાલય સંચાલકોની મનમાનીના કારણે લોકો ખુલ્લામાં શૌચ ક્રિયા કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
ચોવીસ કલાક ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા બસ સ્ટેશનની સાફસફાઈ માત્ર 6 સ્વીપરોના માથે
ઉઘાડા પગે ગંદકીમાંથી પસાર થતા મુસાફરો તેમજ નાના બાળકો
દાહોદ બસ સ્ટેશનની સાફસફાઈનો કોન્ટ્રાક્ટ ભાવનગરની શિવશક્તિ સફાઈ કામદાર વિકાસ મંડળીને આપવામાં આવ્યો છે. થતાં આક્ષેતો પ્રમાણે આ કોન્ટ્રાક્ટરની મંડળી દ્વારા કોઈ પણ જાતની બસ સ્ટેશનમાં સાફ સફાઈ અંગે કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી.બસ સ્ટેશનમાં કુલ ૮ સફાઈ કામદારો રાખવામાં આવ્યો છે.જેમાંથી ૨ સુલભ શૌચાલયોમાં ફીક્સ છે અને બાકીના ૬ સફાઈકામદારો બસ સ્ટેશનની સફાઈ કરે છે.ચોવીસ કલાક સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા તેમજ વિશાળ કેમ્પસ ધરાવતા બસ સ્ટેશન તેમજ વર્કશોપ સહિતના આસપાસના વિસ્તારમની
સાફસફાઈ માત્ર 6 સફાઈ કામદારો ફાળવેલા હોવાથી બસ સ્ટેશન પરિસરમાં સાફસફાઈ સમયસર અને નિયમિતરૂપે થતી નથી. તેમજ આ સફાઈ કામદારોમાં પણ આળસ હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.તેવા સંજોગોમાં બસ સ્ટેશનમાં કેવા પ્રકારની સાફ સફાઈ થતી હશે તે કલ્પના કરી શકાય તેમ છે.
બસ સ્ટેશનની શુદ્ધ પીવાના પાણીની પરબ એસટી વિભાગના સત્તાધીશોની બેજવાબદારી તેમજ લાપરવાહીના કારણે પાર્કિંગમાં તબદીલ:મજૂરવર્ગ વેચાતો પાણી પીવા મજબુર:બસ સ્ટેશન પરિસરમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું
પાણીના પરબને બંધ કરી પાર્કિંગમાં તબદીલ કરી નળ કનેક્શન બારોબાર કેન્ટીનને ફાળવી દેવાયા
બસ સ્ટેશનમાં મુસાફરોને પીવાના પાણી માટે પરબ બનાવવામાં આવી હતી. તે પણ લુપ્ત થઈ ગઈ છે.હાલ આ પરબનો ઉપયોગ વાહન પાર્કિંગમાં થઇ રહ્યો છે. આ પીવાના પાણીની પરબની પાઈપ લાઈનનો ઉપયોગ નજીકમાં આવેલ કેન્ટીન અને બસ ડેપોમાં તેમજ નજીકની ચાહ્ની લારીઓને સપ્લાઈ કરવામાં આવતું હોવાના પણ જાહેરમાં આક્ષેપો ઉઠવા પામ્યા છે.પરંતુ મુસાફરો માટે ઉભુ કરવામાં આવેલ આ પાણીની પરબ માટે મુસાફરો વેખલા કરવા પડે છે. મુસાફરોની કેન્ટીનમાંથી મોંઘા ભારે પાણીની બોટલો ખરીદવાની ફરજાે પડી રહી છે.
કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં મધ્ય પ્રદેશ તેમજ ગુજરાતની બસોમાં ઘેટા બકરાંની જેમ ઠુંસી ઠુંસી તેમજ શોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમો નેવે મૂકી બેરોકટોક અવરજવર કરતા મુસાફરો:બસ સ્ટેશનમાં સ્ક્રીનિંગનો અભાવ, કોરોના સંક્રમણ ફેલાવવાની સેવાતી ભીતિ
આવું ચાલશે તો કોરોના સંક્રમણ ક્યાં જઈને અટકશે??
કોરોના જેવી ભયાનક મહામારીમાં પણ ઓનલાઇન ટિકિટ બુકીંગ કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળી રહી છે. તેમજ ગુજરાત એસ.ટી.બસો અને મધ્યપ્રદેશની એસ.ટી.બસોમાં ઘેટા-બકરાની માફક મુસાફરોની ઠોસી ઠોસીને ભરવામાં આવી રહ્યા છે.તેમજ એસટી વિભાગ દ્વારા પાડોશી રાજ્ય તેમજ ગુજરાતના અન્ય શહેરોમાંથી દાહોદ અવરજવર કરી રહેલા મુસાફરોનો કોઇપણ જાતનો સ્ક્રીનિંગ કે ટેસ્ટિંગ કરવામાં આવતો નથી. સમગ્ર નજારો જાણે વહીવટી તંત્રની નજર બહાર હોય તેમ તો નથી લાગી રહ્યું. ત્યારે સામાન્ય માણસને માસ્ક ન પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરનાર પોલીસ તંત્ર પણ આ મામલે ભેદી મૌન સેવી બેઠું છે. ત્યારે આ બધા સંજોગોની વચ્ચે બસ સ્ટેશનમાં અવર-જવર કરતા મુસાફરો આવી કરુણા જેવી ઘાતક મહામારીમાં આવનારા સમયમાં સુપર સ્પ્રેડર બનશે જેના લીધે દાહોદમાં આ મહામારી વધુ વકરશે તેમાં કોઈ બેમત નથી