દાહોદ શહેર સહિત જિલ્લામાં કુદકે ને ફુસકે કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર સમેત સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા અનેકવાર કોરોના સંક્રમણથી બચવા જિલ્લાની જાહેર જનતાને અનેકવાર અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ નિયમોનું પાલન કરવા પણ જણાવાઈ રહ્યું છે પરંતુ કેટલાક લોકો તેમજ કેટલાક વેપારીઓ તેમજ દુકાનદારો કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લેતાં નથી અને આવા