હિરેન પંચાલ @ ઝાલોદ
ઝાલોદ નગર પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ,પ્રમુખ તરીકે બિનહરીફ સોનલબેન હરેશભાઈ ડિંડોર તથા ઉપ પ્રમુખ તરીકે નંદાબેન રાજુભાઈ વાઘેલાને ૨૮ માંથી ૧૫ મત મળ્યા, ઉપપ્રમુખનું નામ જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસ નું વોક આઉટ
ઝાલોદ તા.24
ઝાલોદ નગર પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી આજે સોમવારના રોજ પાલિકાના સભાખંડમાં રાખવામાં આવી હતી.જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે બિનહરીફ તથા કોંગ્રેસ સમર્થિત ૧૨ જેટલા સભ્યોના વોક આઉટ બાદ ઉપ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
ઝાલોદ નગર પાલિકા ની ચુંટણી ને લઈને ઝાલોદ માં ભારે ઉત્કંઠા ફેલાઈ હતી. જેને લઇને આજ સોમવાર ના રોજ યોજાયેલી આ ચૂંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવી એ જરૂરી હતું. તો ભાજપ માટે ફરીથી સત્તારૂઢ થવું એ માથાનો સવાલ હતો.
આજે સોમવારના રોજ યોજાયેલી આ ચૂંટણીમાં કુલ ૨૮ સભ્યો માંથી ૨૭ સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખપદ માટે માત્ર સોનલબેન હરેશભાઈ ડિંડોરનું નામ આવતાં તેઓને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
Contents
- હિરેન પંચાલ @ ઝાલોદ
- ઝાલોદ નગર પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ,પ્રમુખ તરીકે બિનહરીફ સોનલબેન હરેશભાઈ ડિંડોર તથા ઉપ પ્રમુખ તરીકે નંદાબેન રાજુભાઈ વાઘેલાને ૨૮ માંથી ૧૫ મત મળ્યા, ઉપપ્રમુખનું નામ જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસ નું વોક આઉટ
- ઝાલોદ તા.24
- ઝાલોદ નગર પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી આજે સોમવારના રોજ પાલિકાના સભાખંડમાં રાખવામાં આવી હતી.જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે બિનહરીફ તથા કોંગ્રેસ સમર્થિત ૧૨ જેટલા સભ્યોના વોક આઉટ બાદ ઉપ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
- ઝાલોદ નગર પાલિકા ની ચુંટણી ને લઈને ઝાલોદ માં ભારે ઉત્કંઠા ફેલાઈ હતી. જેને લઇને આજ સોમવાર ના રોજ યોજાયેલી આ ચૂંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવી એ જરૂરી હતું. તો ભાજપ માટે ફરીથી સત્તારૂઢ થવું એ માથાનો સવાલ હતો.
- તો ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ તરફ થી કિરણભાઈ વસૈયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ પક્ષ તરફ થી આપવામાં આવેલું વ્હિપ વાચવા અંગે ચૂંટણી અધિકારી પ્રાંતને જાણ કરવા છતાં પ્રાંત એ એક વાર વાંચી લીધા પછી ફરીથી વાંચવાનો ઇનકાર કરવામાં આવતા કોંગ્રેસ તેમજ ભાજપા સભ્યો એ સભામાં હોબાળો મચાવ્યો હતો. અને ત્યાર બાદ ૧૨ જેટલા સભ્યો એ વોક આઉટ કરી અને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. તો હાજર રહેલા કુલ ૧૬ સભ્યો માંથી ૧૫ જેટલા સભ્યોએ પોતાનો મત નંદાબેન રાજુભાઈ વાઘેલા ને આપતા નંદાબેનને ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. આમ ભાજપાના સમર્થનથી કોંગ્રેસના સભ્ય પ્રમુખ બન્યા હતા.તો ભાજપના સમર્થન થી જ અપક્ષને ઉપ પ્રમુખ બનાવવામાં આવતા, હાલની સત્તા ભાજપના ફાળે જ રહી હોય તેમ કહી શકાય એમ છે. તો કોંગ્રેસ એ પણ પોતાના પક્ષનો ઉમેદવાર જ પ્રમુખ બન્યો હોઇ સંતોષ માની રહી છે.
તો ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ તરફ થી કિરણભાઈ વસૈયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ પક્ષ તરફ થી આપવામાં આવેલું વ્હિપ વાચવા અંગે ચૂંટણી અધિકારી પ્રાંતને જાણ કરવા છતાં પ્રાંત એ એક વાર વાંચી લીધા પછી ફરીથી વાંચવાનો ઇનકાર કરવામાં આવતા કોંગ્રેસ તેમજ ભાજપા સભ્યો એ સભામાં હોબાળો મચાવ્યો હતો. અને ત્યાર બાદ ૧૨ જેટલા સભ્યો એ વોક આઉટ કરી અને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો.
તો હાજર રહેલા કુલ ૧૬ સભ્યો માંથી ૧૫ જેટલા સભ્યોએ પોતાનો મત નંદાબેન રાજુભાઈ વાઘેલા ને આપતા નંદાબેનને ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા.
આમ ભાજપાના સમર્થનથી કોંગ્રેસના સભ્ય પ્રમુખ બન્યા હતા.તો ભાજપના સમર્થન થી જ અપક્ષને ઉપ પ્રમુખ બનાવવામાં આવતા, હાલની સત્તા ભાજપના ફાળે જ રહી હોય તેમ કહી શકાય એમ છે. તો કોંગ્રેસ એ પણ પોતાના પક્ષનો ઉમેદવાર જ પ્રમુખ બન્યો હોઇ સંતોષ માની રહી છે.
તો હાજર રહેલા કુલ ૧૬ સભ્યો માંથી ૧૫ જેટલા સભ્યોએ પોતાનો મત નંદાબેન રાજુભાઈ વાઘેલા ને આપતા નંદાબેનને ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા.
આમ ભાજપાના સમર્થનથી કોંગ્રેસના સભ્ય પ્રમુખ બન્યા હતા.તો ભાજપના સમર્થન થી જ અપક્ષને ઉપ પ્રમુખ બનાવવામાં આવતા, હાલની સત્તા ભાજપના ફાળે જ રહી હોય તેમ કહી શકાય એમ છે. તો કોંગ્રેસ એ પણ પોતાના પક્ષનો ઉમેદવાર જ પ્રમુખ બન્યો હોઇ સંતોષ માની રહી છે.

