જીગ્નેશ બારીયા @ દાહોદ
વિશ્વ ભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના ભય વચ્ચે બે રાજ્યોની સરહદે આવેલા દાહોદ રેલવે સ્ટેશન તેમજ એસટી બસ ડેપોમાં બહારગામથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવું અનિવાર્ય, રેલવે તેમજ બસ મારફતે દાહોદ આવતા મુસાફરો કોઈપણ જાતની ચકાસણી વગર આવતા જતા નજરે ચડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો, ખાનગી ગાડીઓમાં દવાખાને, વેપાર અર્થે અવર જવર કરતા મુસાફરોની ચકાસણી કરવું સૌના હિતમાં વહીવટીતંત્ર દ્વારા ચોક્કસ સ્થળે સ્ક્રીનિંગ સેન્ટરો ઉભા કરી આવાગમન કરતા લોકોની ચકાસણી થાય તેવી લોકોની લાગણી તેમજ માંગણી,એમબીબીએસમાં અભ્યાસ કરતા 4 વિધાર્થીઓં ફિલિપાઇન્સથી પરત દાહોદ આવતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તપાસ હાથ ધરી રેલવે હોસ્પિટલ ખાતે ઓબ્જર્વેશનમાં મોકલવામાં આવ્યા
દાહોદ તા.૧૯
વિશ્વભરમાં હાલ જીવલેણ કોરોના વાયરસે લોકોને ભરડામાં લીધો છે.ત્યારે આવા સમયે દાહોદ શહેરના બસ રેલ્વે સ્ટેશન ખાતે આવતા જતાં મુસાફરોનું સ્ક્રીન થર્મલ સ્ક્રીનીંગ ન કરવામાં આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આમેય, રાજ્યના બીજા શહેરોમાંથી તેમજ બીજા રાજ્યોમાંથી અવર જવર કરતા મુસાફરો દાહોદ ખાતે આવતા હોય છે તેની તકેદારીને ધ્યાને રાખી દાહોદ રેલ્વે તંત્ર તેમજ બસ સ્ટેન્ડ તેમજ અન્ય રીતે બહારગામ કે રાજ્યોમાંથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવે તેવી આજના સમયની માંગ છે.વધુમાં જાણવા મળ્યા અનુસાર, દાહોદના ત્રણ યુવકો ફીલીપાઈન્સ ખાતે એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરવા ગયા હતા. જ્યાથી પરત ફરતા દાહોદના વહીવટી તંત્રને આ બાબતની જાણ થતાં તેઓ દોડી ગયા હતા અને આ ત્રણેય વિદ્યાર્થીઓનું સ્ક્રીનિગ સહિત ચેકઅપ કરવામાં આવ્યું હતુ.પરંતુ તેઓમાં કોઈ ચિંતાજનક કોરોના વાયરસ સંબંધી લક્ષણો ન જોવાતા તંત્રએ હાશકારો લઈ આ ત્રણેય વિદ્યાર્થીઓને નજીકના રેલ્વે હોસ્પિટલ ખાતે ઓબ્જર્વેશન વિભાગમાં મોકલી દીધા હતા.
વિશ્વભરમાં હાલ જીવલેણ કોરોના વાયરસે લોકોને ભરડામાં લીધો છે.ત્યારે આવા સમયે દાહોદ શહેરના બસ રેલ્વે સ્ટેશન ખાતે આવતા જતાં મુસાફરોનું સ્ક્રીન થર્મલ સ્ક્રીનીંગ ન કરવામાં આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આમેય, રાજ્યના બીજા શહેરોમાંથી તેમજ બીજા રાજ્યોમાંથી અવર જવર કરતા મુસાફરો દાહોદ ખાતે આવતા હોય છે તેની તકેદારીને ધ્યાને રાખી દાહોદ રેલ્વે તંત્ર તેમજ બસ સ્ટેન્ડ તેમજ અન્ય રીતે બહારગામ કે રાજ્યોમાંથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવે તેવી આજના સમયની માંગ છે.વધુમાં જાણવા મળ્યા અનુસાર, દાહોદના ત્રણ યુવકો ફીલીપાઈન્સ ખાતે એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરવા ગયા હતા. જ્યાથી પરત ફરતા દાહોદના વહીવટી તંત્રને આ બાબતની જાણ થતાં તેઓ દોડી ગયા હતા અને આ ત્રણેય વિદ્યાર્થીઓનું સ્ક્રીનિગ સહિત ચેકઅપ કરવામાં આવ્યું હતુ.પરંતુ તેઓમાં કોઈ ચિંતાજનક કોરોના વાયરસ સંબંધી લક્ષણો ન જોવાતા તંત્રએ હાશકારો લઈ આ ત્રણેય વિદ્યાર્થીઓને નજીકના રેલ્વે હોસ્પિટલ ખાતે ઓબ્જર્વેશન વિભાગમાં મોકલી દીધા હતા.

કરી ઉપરોક્ત લોકોની ચકાસણી કરવાની આજના સમયની માંગ છે. દાહોદ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સિવાય શહેરમાંથી મુસાફરો કોઈપણ જાતના સ્ક્રીનિંગ વગર બિન્દાસ્ત અંદર બહાર અવર જવર કરતા જોવાઈ રહ્યા છે.