સીંગવડ તાલુકાના તારમી ગામના સ્વાતંત્ર સેનાની આશરે 105 વર્ષની વયે મૃત્યુ,ગાર્ડ ઓફ ઓનરની વચ્ચે અંતિમ સંસ્કાર..

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ સિંગવડ :- પ્રતિનિધિ

સીંગવડ તાલુકાના તારમી ગામના સ્વાતંત્ર સેનાની આશરે 105 વર્ષની વયે મૃત્યુ પામ્યા

સીંગવડ તા.25

સિંગવડ તાલુકાના તારમી ગામના રહેવાસી અને ગાંધીજીના સાથે અહિંસાની સત્યાગ્રહની ચળવળમાં રહેલા તારમી ગામના ડામોર સુરતાનભાઈ વેચાતભાઇ આજરોજ આશરે 105 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા

ભારતના સ્વાતંત્ર સંગ્રામના કર્તવ્યનિષ્ઠ સૈનિક તરીકે માતૃભૂમિની મુક્તિ માટે વિદેશી શાસન ની સામે આપે સાહસ હિંમત અને ની :સુહ ભાવભીની આઝાદી પંથ ની કેડીઓ કંડારી હતી તેમને ગુજરાતના માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા અભિવાદન પત્ર આપવામાં આવ્યું હતું આ સ્વાતંત્ર્ય

સેનાનીની મૃત્યુના સમાચાર સાંભળતા જ દાહોદ પોલીસ સ્ટાફ તથા રણધીકપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વહુનીયા તથા પોલીસ સ્ટાફ તારમી ગામે જઈને મૃત્યુ પામનારા ડામોર સુરતાન ભાઈ વેચાતભાઇ ને શોક સલામી ગાર્ડ આપવામાં આવ્યું હતુ

Share This Article