કોરોનાનો ખતરો યથાવત… ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને દાહોદના સાંસદ કોરોના સંક્રમિત થયાં….

Editor Dahod Live
1 Min Read

 નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.16

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લઇ રાજકીય પક્ષો  ચૂંટણી લક્ષી કામગીરીમાં જોતરાયેલા છે. પરંતુ કોરોના સંક્રમણનો ખતરો હાલ ટાળ્યો નથી ચોક્કસ પણે રસીકરણના પ્રથમ તેમજ બીજા તબબકાના રસીકરણમાં કોરોના સંક્રમણ પર મહત્તમ રીતે અંકુશ આવ્યો છે. ત્યારે હાલમાં પણ કોરોનાનો ખતરો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી, તેમજ અન્ય મંત્રીઓ કોરોના સંક્રમિત આવ્યા બાદ આજરોજ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્ય તેમજ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર પણ સંક્રમિત હોવાનું જાણવા મળેલ છે. વધુ મળતી માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ, અન્ય મંત્રીઓ કોરોના સંક્રમિત થયાં બાદ દાહોદના સાંસદ અને ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય જશવંતસિંહ ભાભોરની તબિયત ખરાબ થતાં તેઓને અમદાવાદ યું. એન. મેહતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકારણમાં સોપો પડી જવા પામ્યો હતો. જોકે મળતી માહિતી અનુસાર  પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં સંક્રમિત થયાં હોવાનું જાણવા મળેલ છે. જોકે તેમના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા  કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

Share This Article