સંખ્યામાં ઉપસ્થિત રહી અમિત કટારાની ધરપકડના મામલે ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાજકીય કિન્નાખોરી રાકી ખોટા કેસ કર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યો છે. ઝાલોદ નગરમાં વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આ બાબતનું એક આવેદન પત્ર પણ સુપરત કર્યું હતું અને જણાવ્યું હતું કે, યોગ્ય તપાસ ન થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઝાલોદ નગરમાં આ રેલીને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા એસ.પી. સહિત જિલ્લા પોલીસ કાફલો ઝાલોદ ઘસી ગયો હતો અને હાલ પણ કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તેની સંપુર્ણ તકેદારી રાખે ઝાલોદ નગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.