ઝાલોદમાં NDRF તેમજ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના અંગે જનજાગૃતિ માટે રેલી યોજાઈ

Editor Dahod Live
1 Min Read

   દક્ષેશ ચૌહાણ.ઝાલોદ  

ઝાલોદ મા NDRF તેમજ આરોગ્ય તંત્ર દ્વારા કોરોની જનજાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી

ઝાલોદ તા.11

ઝાલોદ શહેરમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબ દાહોદ ની સુચના અનુસાર આજે કોવીડ-19 નો સંક્રમણ અડકાવા માટે જનજાગૃતિ માટે ટેસ્ટ ઈઝ બેસ્ટના સૂત્રો તથા કોરોના અંગે જાગૃતિ બેનસૅ સાથે પ્રાંત અધિકારી, નાયાબ પોલીસ વડા, મામલતદાર સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી અને NDRF અધિકારી તથા તેમનો સ્ટાફ ની આગેવાની હેઠળ રેલી કાઢવામાં આવી હતી રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.
કોરોના જેવા ધાતક રોગથી બચવા માટે આજે NDRF ટીમ તથા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય કર્મચારીઓ તથા નગરપાલિકા સ્ટાફ દ્વારા જનજાગૃતિ રેલી કાઢી તમામ નિયમનોનુ પાલન કરી શહેરના અનેક વિસ્તારોમાં ફરી વળેલી રેલીમાં કોરોના જેવા ધાતક રોગથી બચવા જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતુ આમ જે પણ નાગરિક જોડે માંસ્ક ન હતા તેને માંસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા આમ માસ્ક એક હજાર થી વધુ શહેરમાં માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું આમ સૂત્રોરચાર કરતી રેલી વડે લોકોને કોરોના થી બચવા સમજ આપી હતી.

Share This Article