ઝાલોદ પાલિકા ના ભ્રષ્ટાચાર અંગે ની તપાસ માં વિલંબ,બે કાઉન્સિલર ની મોત છતાં પાલિકા ના ભ્રષ્ટાચાર અંગે નું મૌન ખરેખર વિચારવા જેવું!!!
ઝાલોદ તા.25
બે માસના ટૂંકા ગાળામાં જ પાલિકાના બે જેટલા કાઉન્સિલરનું અકાળે થયેલા મૃત્યુ માટે જવાબદાર પાલિકાના રાજકારણ કે પાલિકાના જ ભ્રષ્ટાચાર ને જ જ્યારે કારણભૂત માનવામાં આવે છે.ત્યારે, આ ભ્રષ્ટાચારની તપાસ અંગેનું મૌન એ ખરેખર ઉડીને આંખે વળગે છે.ત્યારે આ અંગે જરૂરી પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
ઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યા બાદ થોડાક જ અંતરાલમાં પાલિકાના જ અન્ય કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. હિરેન પટેલની હત્યામાં પાલિકા સાથે સંકળાયેલા લોકોનો જ હાથ હોવાનું જ્યારે સામે આવ્યું હતું. અને પોલીસ હાલ મુખ્ય માથાઓ સુઘી પહોંચવા માટે પણ લાગેલી જોવા મળી રહી છે.
ત્યારે અન્ય એક કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા પણ આત્મહત્યા કરવામાં આવતા, આ માટે પાલિકાના રાજકારણથી લઈને પાલિકામાં થયેલો કરોડોનો ભ્રષ્ટાચાર જ જવાબદાર હોવાનું સર્વવિદિત છે.ત્યારે અંતિમ અગ્રવાલના પરિવાર દ્વારા મહિલા કાઉન્સિલરના પતિ દ્વારા ફોન પર આપવામાં આવેલી ધમકી ને કારણે જ અંતિમ અગ્રવાલ દ્વારા આત્મહત્યાનું અંતિમ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કુલડીમાં જ ગોળ ભાગવામાં આવી રહ્યો હોય તેમ હાલ તો લાગી રહ્યું છે.
અને આ અંગે પાલિકા તંત્ર નું મૌન એ ખરેખર વિચારવા જેવું છે.
અને આ અંગે પાલિકા તંત્ર નું મૌન એ ખરેખર વિચારવા જેવું છે.
