જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ જિલ્લામાં કોરોનાનો કાળો કેર યથાવત,આજે વધુ 19 દર્દીઓનો વધારો નોંધાયો, પોલીસખાતા,આરોગ્યવિભાગ, એસઆરપી તેમજ,વનવિભાગની વસાહતમાં કોરોનાનો પગપેસારો,ઝાલોદમાં એકનું મોત થતાં તંત્રે કોવીડની ગાઇડલાઇન મુજબ પીપીઇ કીટ પહેરી મૃતકનો અગ્નિદાહ આપ્યો,આરોગ્ય વિભાગ દવારા નગરના બજારોમાં સર્વે કામગીરી હાથ ધરાઈ,વેપારીઓ તેમજ કંટેઇન્મેન્ટ ઝોન સહીતના વિસ્તારોમાં વધુ ને વધુ ટેસ્ટિંગ પર ભાર મુકાયો,
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ થતાં શહેર સહીત જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આજે વધુ ૧૯ કોરોના દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૩૭૪ને પાર થવા પામ્યો ત્યારે આજે દાહોદ ઝાયડસ હોસ્પિટલના નોડલ ઓફિસર,પોલિસખાતામાં ફરજ બજાવતા ડીવાયએસપી,એસઆરપી,તેમજ ફોરેસ્ટ ખાતા સહીત સરકારી કચેરીઓમાં કોરોના સંક્રમણે પગપેસારો કરતા દાહોદમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો. જોકે આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓમાં (૧) યામિનીબેન યોગેશભાઈ મહાવર (ઉ.૩૩ ગોધરા રોડ જલારામ પાર્ક દાહોદ), (ર) મનીષ રામકિશોર મહાવર (ઉ.૪ર રહે. ગોદી રોડ દાહોદ), (૩) હેમલતાબેન મનિષભાઈ મહાવર (ઉ.૪ર રહે. ગોદી રોડ દાહોદ), (૪) મહેશકુમાર ભગચંદ મગલાણી (ઉ.પ૩ રહે. ગોવીંદનગર દાહોદ), (પ) મનસુર તાહેરભાઈ ભાટીયા (ઉ.૬ર રહે. નવજીવન મીલ દાહોદ), (૬) સંતોષ હરિબક્ષ પાંડે (ઉ.પર રહે. પરેલ દાહોદ), (૭) રાણા વિવેક કે (ઉ.૩૦ રહે. દે.બારીયા સોની પંચની વાડી), (૮) બેનકર હર્ષવર્ધનભાઈ જયપ્રકાશ (ઉ.૪પ રહે. દાહોદ પોલીસ લાઈન), (૯) બારીયા પ્રિયંકાબેન કનુભાઈ (ઉ.ર૮ રહે. ઝાલોદ હનુમાન બજાર), (૧૦) પટેલ બિનાબેન હિરેનભાઈ (ઉ.૪૪ રહે. ઝાલોદ મુવાડા ફળીયા), (૧૧) યાદવ પુષ્પેન્દ્ર સુગરેસીંહ (ઉ.૩૩ રહે. ઝાલોદ ઈદ્રપ્રસ્થ સોસાયટી), (૧ર) ર્ડા.કમલેશકુમાર પારસીંગભાઈ નિનામા (ઉ.૩૩ રહે. નાનીવાવ કાચલા ફળીયા દાહોદ), (૧૩) નાયક મિથુનભાઈ ભાનુદાસ (ઉ.૩૪ રહે. એસઆરપી પાવડી દાહોદ), (૧૪) વાલવી પીયુશભાઈ બાલુભાઈ (ઉ.૩૦ રહે. એસઆરપી પાવડી દાહોદ), (૧પ) સોની રમેશચંદા એસ (ઉ.પપ રહે. દેસાવાડ નિચવાસ ફળીયા દાહોદ), (૧૬) ભુરા નારણજી માળી (ઉ.૩૬ રહે. ફોરેસ્ટ કોલોની, આઈટીઆઈ દાહોદ), (૧૭) કાન્જી સોમા રજત (ઉ.૬ર રહે. ફોરેસ્ટ કોલોની આઈટીઆઈ દાહોદ), (૧૮) મયંક નરેન્દ્ર લબાના (ઉ.ર૭ રહે. તાડ ફળીયુ પેથાપુર ઝાલોદ), (૧૯) ચિરાગ દિનેશ લબાના (ઉ.રર રહે. તાડ ફળીયુ પેથાપુર ઝાલોદ) આમ, આજે આ ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે.
કોરોના કાળથી દર્દીઓની સારવારમાં જોતરાયેલા ઝાયડસના નોડલ ઓફિસર સંક્રમિત થયાં
કોરોના કાળની શરૂઆતથી જ ઝાયડસ હોસ્પિટલના નોડલ ઓફિસર
કમલેશ નિનામા છેલ્લા ચાંર – પાંચ માસથી ઝાયડસ હોસ્પિટલ ખાતે ખુબ જ સાવચેતી પૂર્વક કોરોના દર્દીઓનો ખુબ પ્રેમથી સાર સંભાળ લઈ રહ્યા છે.જેથી તેમના માટે સમગ્ર નગરમાં એક અલગ લોક ચાહના ઉભી થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આરોગ્ય ઈન્ચાર્જ અધિકારી ર્ડા. પહાડીયા તેમજ ખાનગી તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેઓ પણ સ્વસ્થ્ય થઈ પરત પોતાની ફરજ પણ હાજર થઈ ગયા હતા ત્યારે આજરોજ આવેલ ર્ડા. કમલેશ નિનામા વહેલી તકે સાજા થઈ પરત પોતાની ફરજ પર હાજર થાય તેવા સંદેશાઓ સોશિયલ મીડીયામાં વહેતા થવા માંડ્યા હતા.
કમલેશ નિનામા છેલ્લા ચાંર – પાંચ માસથી ઝાયડસ હોસ્પિટલ ખાતે ખુબ જ સાવચેતી પૂર્વક કોરોના દર્દીઓનો ખુબ પ્રેમથી સાર સંભાળ લઈ રહ્યા છે.જેથી તેમના માટે સમગ્ર નગરમાં એક અલગ લોક ચાહના ઉભી થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આરોગ્ય ઈન્ચાર્જ અધિકારી ર્ડા. પહાડીયા તેમજ ખાનગી તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેઓ પણ સ્વસ્થ્ય થઈ પરત પોતાની ફરજ પણ હાજર થઈ ગયા હતા ત્યારે આજરોજ આવેલ ર્ડા. કમલેશ નિનામા વહેલી તકે સાજા થઈ પરત પોતાની ફરજ પર હાજર થાય તેવા સંદેશાઓ સોશિયલ મીડીયામાં વહેતા થવા માંડ્યા હતા.
