રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાઇ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ*
દાહોદ તા. ૨૧ 
દાહોદ જિલ્લામાં વિવિધ એજન્સીઓ અને રાજ્ય સરકારના સહયોગથી એક ઝુંબેશ સ્વરૂપે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વિશે દર ત્રણ ગામ વચ્ચે એક કલસ્ટર દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. સાથે દરેક તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ તાલીમ આપવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટના કલસ્ટર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતીથી પાકમાં ઉપયોગી જેવા કે , જીવામૃત ઘન જીવામૃત સહિતના પાંચ આયામો ઘરે જ તૈયાર કરવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવી હતી. સાથે ખેડુતોની સામે બનાવતા શીખવે છે. આ તાલીમ નોન મિશન કૃષિ સખી, CRP ભાઇઓ, આત્માં પ્રોજેક્ટના કર્મચારીઓએ ઘરે ઘરે જઇને સમજાવે છે કે, પાકમાં ઉપયોગી તમામ આયામો પોતાના ઘરે બનાવવામાં આવે તો ખેડૂતને બજારમાં ખાતર દવા માટે રૂપીયા ખર્ચવાની જરૂર નથી.

પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ વિશે સમજાવતા ખેડૂતોને કહ્યું હતું કે, પ્રાકૃતિક રીતે પકવેલા ફળફળાદી શાકભાજી અને અનાજ ગુણકારી તેમજ રોગમુક્ત છે. જેથી તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ જેનાથી આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સુધરી શકે સાથે તંદુરસ્ત રહી શકીએ છીએ.
સાથે તાલીમ દરમિયાન ખેડૂતમિત્રોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવી તેનો છંટકાવ કઈ રીતે કરવો સાથે તેના ઉપયોગ વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી સલાહ સુચન કર્યા હતા.
000
