Thursday, 26/06/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના વાંગડ ગામના ટાઢીગોળી સાસરીમાં આવેલા 22 વર્ષીય જમાઈનું શંકાસ્પદ મોત* *સાસરીમાં આવેલા જમાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હોવાની કેફિયત જણાવતા સાસરીયાઓ*

June 25, 2025
        485
ફતેપુરા તાલુકાના વાંગડ ગામના ટાઢીગોળી સાસરીમાં આવેલા 22 વર્ષીય જમાઈનું શંકાસ્પદ મોત*  *સાસરીમાં આવેલા જમાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હોવાની કેફિયત જણાવતા સાસરીયાઓ*

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકાના વાંગડ ગામના ટાઢીગોળી સાસરીમાં આવેલા 22 વર્ષીય જમાઈનું શંકાસ્પદ મોત*

*સાસરીમાં આવેલા જમાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હોવાની કેફિયત જણાવતા સાસરીયાઓ*

*મૃતક યુવાનને ગળામાં આંતરિક ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરતાં પરિવારજનો*

*મૃતકની લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી*

સુખસર,તા.24

ફતેપુરા તાલુકાના વાંગડ ગામના ટાઢીગોળી સાસરીમાં આવેલા 22 વર્ષીય જમાઈનું શંકાસ્પદ મોત* *સાસરીમાં આવેલા જમાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હોવાની કેફિયત જણાવતા સાસરીયાઓ*

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ હદ વિસ્તારમાં માનવ હત્યા કરવી તેમજ મોત નીપજાવી લાશને કુવાઓ તથા બિનવારસી છોડી દેવી તે એક સામાન્ય બાબત બની ચૂકી છે. છેલ્લા 15 વર્ષમાં સાત ડઝન જેટલા કમોત અને શંકાસ્પદ મોતના બનાવો બની ચૂકેલા છે.જે પૈકી મોટાભાગના શંકાસ્પદ કિસ્સાઓમાં આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી.અને સુખસર પંથકમાં કથિત હત્યામાં સંડોવાયેલા આરોપીઓ ગુન્હાખોરી આચરવા નિર્ભય બનતા હત્યાના બનાવો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યા છે.ત્યારે હત્યા જેવા બનાવોમાં સંડોવાયેલા આરોપીઓ સામે દાખલો બેસી શકે તેવી સજા થવી જરૂરી જણાય છે.જેમાં વધુ એક બનાવ પાંચેક દિવસથી સાસરીમાં આવેલા જમાઈ એ ગળે ફાંસો ખાતા મોત નિપજ્યું હોવા બાબતે સાસરીયા ઓ દ્વારા જ્યારે પરિવારજનોએ ગળામાં આંતરિક ઇજાઓના કારણે મોત નીપજ્યું હોવા બાબતે આક્ષેપ કરી સુખસર પોલીસમાં જાણ કરતા લાશને ફોરેન્સિક પી.એમ અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.

        જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના વાંગડ ગામે રહેતા સાગરભાઇ નારણભાઈ પારગી ઉંમર વર્ષ આશરે 22 નાઓના લગ્ન ટાઢી ગોળી ગામે થયેલ છે.અને સંતાનમાં એક માત્ર પુત્રી છે.ગત એકાદ માસ અગાઉ સાગરભાઇ પારગી ટાઢી ગોળીના સાસરીયાઓ સાથે બહારગામ મજૂરી અર્થે ગયેલ હતા ત્યારબાદ ગત પાંચેક દિવસ આગાઉ પરત પત્ની સાથે ટાઢીગોળી ગામે સાસરીમાં આવેલ.ત્યારબાદ ગતરાત્રિના સાગરભાઇએ ગળે ફાંસો ખાધો હોવા બાબતે જ્યારે મૃતક સાગરભાઇ પારગીના પરિવારજનોના આક્ષેપ મુજબ ગળામાં ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હોવા બાબતની ચર્ચા પંથકમાં ટોપ ઓફ ધી ટાઉન બનવા પામેલ છે.પરંતુ મૃતકના પરિવારમાં આશાસ્પદ યુવાનનું અકાળે મોત નીપજતા રોકકળ સાથે હાહાકાર મચી જવા પામ્યો છે. 

       ઉપરોક્ત બાબતે મૃતક સાગરભાઇ પારગીના સાસરી પક્ષના લોકોએ જમાઈનું ગળે ફાંસો ખાતા મોત નીપજ્યું હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવેલ.ત્યારે પરિવારજનોના આક્ષેપ મુજબ મૃતક સાગરને ગળામાં આંતરિક ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવ્યું હોવાનો આક્ષેપ કરાતા લાશને ફોરેન્સિક પોસમોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.મૃતકનું મોત કયા કારણોસર થયું છે તે પી.એમ રિપોર્ટ બાદજ જાણી શકાશે હાલ તરેહ-તરેહની ચર્ચા એ જોર પકડ્યું છે.સુખસર પોલીસે યુવાનના આકસ્મિક મોત અન્વયે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરી ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!