Friday, 18/10/2024
Dark Mode

દે.બારીયાના જુનાબારીયા ખાતે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર:હત્યાં કે આત્મહત્યા..? પોલીસ તપાસમાં જોતરાઈ..

December 2, 2021
        1966
દે.બારીયાના જુનાબારીયા ખાતે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર:હત્યાં કે આત્મહત્યા..? પોલીસ તપાસમાં જોતરાઈ..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના જુનાબારીયી ખાતે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર:હત્યાં કે આત્મહત્યા..? પોલીસ તપાસમાં જોતરાઈ 

દેવગઢ બારિયા તાલુકાના જુના બારીયા ગામેથી ખુલ્લી જગ્યાએથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ વ્યકતિએ આત્મહત્યા કરી કે તેની હત્યાં કરવામાં આવી છે. તે હાલ તપાસનો વિષય બની જવા પામેલ છે ત્યારે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

દે.બારીયા તા.02

દેવગઢ બારીયા પોલીસ સ્ટેસનની હદમાં આવેલ જુનાબારીયી ગામે એક અજાણ્યા યુવકની લાસ મળી આવતા ચક્કચાર મચી જવા પામી છે.આ યુવકની લાશ ના સમાચાર વાયુ વેગે પંથક માં થતા આસપાસના રહીશો લાશ ને જોવા ઉમટી પડીયા હતા ત્યારે આ લાશ જુનાબારીયા ખાતે પડી છે.તેવી જાણ દેવગઢ બારીયા પોલીસ મથકે થતા દેવગઢ બારીયા પોલીસ અને બીટ જમાદાર વિક્રમસિંહ બારીયા ઘટના સ્થળે દોડી આવી લાશ ને કોડન કરી સ્થાનિક માણસો ને પુછતાજ કરી પરંતુ મરનાર વ્યક્તિ ને કોઈ ઓળખતા ના હોવાને કારણે કોઈ હાજર ન રહેતા બારીયા પોલીસે પોતે મૃતદેહને દેવગઢ બારીયા સીવીલ હોસ્પિટલ ખાતે મોકલી તેની ઓળખ અને તેના સગા સબંધીઓની શોધખોળ કરવા તરફ આગળ વઘી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!